________________ 271 મહારતી સુશીલા રંગ મંડપ બરાબર મધ્યમાં હતું. ને તેની ચારે બાજુ ભમતીની રચના કરી હતી. આ રચના એવી કુશળતાપૂર્વક કરી હતી કે ચારે બાજુની પ્રતિમાનું દર્શન એક જ સ્થળે ઊભા રહીને થઈ શકતું. આ માટે વચલા કોઈ પણ સ્તંભનો અંતરાય નડતા નહિ. આમ તો લગભગ બધું જ તૈયાર થઈ ગયું હતું. માત્ર મુખ્ય શિખરના કળશનું કામ બાકી હતું. આ કળશ શુદ્ધ સુવર્ણન મૂકવાનો હતો. સુવર્ણકારે એ કામમાં લાગી ગયા હતા. એ કળશ પણ તૈયાર થઈ ગયે. મંગલ ચોઘડિયે કળશ શિખર ઉપર ચડાવવામાં આવ્યો. પણ આશ્ચર્ય ! બીજે દિવસે ભીમસેને જોયું તો એ કળશ નીચે પડ હતો. શિખર ધડ વિનાના માથા જેવું કળશહીન હતું. આમ કેમ? તેણે શિલ્પીઓને પૂછયું. શિલ્પીઓએ આ અંગે તપાસ કરી. મંદિરની રચનામાં તે કંઈ ભૂલ નથી ને ? નકશા સાથે બધી જ રચના તપાસી જોઈ. તેમાં કંઈ જ ભૂલ ન હતી. તે શું મુહૂર્તમાં કંઈ ફેર પડ હશે? તિષીઓને બોલાવી પૂછયું. તેમણે આવી ગ્રહ-નક્ષત્રો-સૂર્ય-ચંદ્ર-અંશ અક્ષાંશ વગેરેનું ગણિત ગયું. તે ય બરાબર અને ચોક્કસ હતું. તે પછી કળશ પડી કેમ ગયે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust