________________ 273 મહાસતી સુશીલા તેના પુત્ર સાથે પ્રવેશ કરશે તે જ દિવસે એ કળશ ત્યાં શિખર ઉપર સ્થિર થઈ જશે. આ સાંભળી ભીમસેને એ નૈમિત્તિકને યોગ્ય પારિતોષિક આપ્યું. અને નગરની તમામ પુત્રવતી સ્ત્રીઓને એ જિનાલયમાં પ્રવેશ કરવા માટે નિમંત્રણ આપ્યું. આ માટે સારા ય નગરમાં તેણે ઘેષણ કરાવી. આ ઘોષણા સાંભળીને તે આડે દિવસે પણ જે સ્ત્રીઓ આ નૂતન જિનમંદિર જેવા આવતી ને રંગ મંડપમાં જતી તે પણ બંધ થઈ ગઈ. શુદધ શીલની શરતથી નગરની સૌ સ્ત્રીઓ ભય પામતી હતી. વિશુદ્ધ શીલ એટલે મન-વચન અને કાયાથી કેઈપણ પર પુરુષનો જાતિય સંબંધે વિચાર ન કર્યો હોય તેવું શીલ. તેવું ઉત્કટ ચારિત્ર્ય મન છે. તેની ચંચળતાના લીધે કયારેક પરપુરુષ સાથે એ રીતે અછડતો વિચાર આવી પણ જાય. અને ન કરે નારાયણ ને પિતાના પ્રવેશથી કળશ સ્થિર ન થાય તે? પોતે તો અસતીમાં જ ખપી જાય ને ? ના, ભાઈ ના. આપણે એવાં ઝેરનાં પારખાં નથી કરાવવાં. આવું વિચારી નગરની કોઈ પુત્રવતી સ્ત્રી જિનાલયમાં આવવા તૈયાર થતી ન હતી. બળપૂર્વક તો કોઈને પ્રવેશ કરાવી શકાય તેમ ન હતો, જ્યારે શરત પ્રમાણેની કોઈ સ્ત્રી ત્યાં આવતી ન હતી. દિવસે વીતતા જતા હતા. અને ભીમસેનની ચિંતા ઘેરી બનતી જતી હતી. ભી. 18 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust