________________ 180 ભીમસેન ચરિત્ર તે આપ. તેમને નિરાંતની ઊંઘ તે આપ. શૈશવના નિદો આનંદ અને મસ્તી તે આપ. . વિધાતા ! તારી નિર્દયતાની આ બધી વાત માં કોને કહેવી ? આ બધુ દુ:ખ જાણે તને ઓછું હતું, તે તે મારા સ્વામીને પણ બહાર પરદેશ મોકલી દીધા. તેમને વિના તે મારી દશા જળ વિનાની માછલી જેવી થઈ ગઈ છે. છ માસમાં જ તેઓ પાછા આવવાનું કહી ગયા હતા આ જ તો બાર બાર માસનાં વહાણાં વહી ગયાં વિધાતા હજુ પણ મને તેમનાં દર્શન નથી થયાં. * વિધાતા !' કયાં છે મારા સ્વામી ? કયાં છે એ કહે. તેઓ જ્યાં છે ત્યાં સુખી તો છે ને ? તેમનું શરીર તો સારું છે ને? ત્યાં એ શું કરે છે ? વાયદો આપીને પણ હજી તે કેમ પાછા આવ્યા નથી ? અરે ઓ ! નિર્દુ વિધાતા ! મને કંઈક તો જવાબ આપ.” પતિની યા સુશીલા વધુ વ્યગ્ર બની ગઈ. બોલતાં બોલતાં તેનાથી માટે અવાજે રડી પડાયું. ભીમસેનની આંખમાંથી તે ચોધા આંસુ દદળી રહ્યાં હતાં. પિતાના પરિવારની આ દશા જે તેનું હૈયું અંદરથી પોક મૂકીને રડતું હતું. a માના રડવાનો અવાજ સાંભળી બંને બાળકો જાગ ગયાં અને પૂછવા લાગ્યાં : “મા! મા ! તું કેમ રડે છે ' તને શું થયું છે? મા ! " - બાળકોને જાગી ગયેલાં જોઈ સુશીલાએ પોતાના શોકને સંભાળી લીધો અને ઝડપથી પિતાનાં આંસુ લૂછી નાખ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust