________________ 124 નોકરીની શોધમાં - શેઠ! સાચે જ ગરીબ અને નિર્ધન માનવીનું જીવવું આ સંસારમાં દુષ્કર છે...” ભીમસેનની આ દુખદાયક સ્થિતિ સાંભળી લમીપતિનું હૈિયું આદ્ર બની ગયું. એ વેપારીનું નામ લક્ષમીપતિ હતું. તેને ભીમસેન ઉપર દયા આવી. અને કરુણાથી એ બોલ્યા : . “ભાઈ! તારું દુ:ખ ખરેખર અસહ્ય છે. કોઈ ભવના પાપકર્મો આજ તારે ઉદયમાં આવ્યા લાગે છે. પણ કંઈ નહિ. તું મુંઝાઈશ નહિ. ચિંતા ન કરીશ. તું મારે ત્યાં રહેજે અને કામ કરજે.” ભીમસેન તરત જ બોલ્યો : “પણ શેઠજી ! હું આ નગરમાં એકલે નથી. મારી સાથે મારી પત્ની અને બે બાળકે પણ છે. તેમને હું આ નગરની બહાર વાવ ઉપર બેસાડીને આવ્યો છું. તેઓ મારી રાહ જોતાં હશે. અને બાળકો તે ભેજન માટે અધીરાં બની રહ્યાં હશે.” “કંઈ વાંધે નહિ. ભલે તું તારા કુટુંબ સાથે અહીં ચાલ્યો આવ. એ સૌને પણ મારે ત્યાં સમાવેશ થઈ જશે. અને હું તે તારા જેવા માણસની આજકાલ ધમાં જ હતો. આજ અનાયાસે તું મળી ગયે છે. તેથી મારી ઘણી ચિંતા દૂર થઈ ગઈ છે. લક્ષમીપતિએ એમ કહી તેના કુટુંબનો પણ સ્વીકાર કર્યો. થોડીવાર પછી કંઈક યાદ આવ્યું હિય એમ સંભાળી તે બોલ્યો : જે ભાઈ! હું તને મારી વાત પણ કરું. અમે પાંચ ભાઈઓ હતા. અમારા દરેક વચ્ચે એકસરખો ને અતૂટ પ્રેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust