________________ 80. ભીમસેન ચરિત્ર પૂણામાં જઈને સૂઈ ગઈ. ત્યાં તે હરિપેણના આવવાની પ્રતીક્ષા કરવા લાગી. ડી જ વારમાં હરિપેણ આવ્યા. રાણીને ત્યાં ન જોઈ એટલે તેણે ત્યાં ઊભેલી વિમલાને પૂછયું : “રાણું ક્યાં છે?” વિમલાએ ગુસ્સાથી જવાબ આપે : “હશે કયાંક, પડી હશે કેક ખૂણામાં, જાવ ને તપાસ કરો.” | હરિણું તો આ જવાબ સાંભળીને સડક થઈ ગ. તે વિચારવા લાગ્યા. જરૂર કાંઈક અશુભ બન્યું હોવું જોઈએ. એમ વિચાર કરતાં તે મહેલમાં સુરસુંદરીની તપાસ કરવા લાગ્યો. તપાસ કરતાં જોયું, તો એક અંધારા ખૂણામાં રાણી શોકમગ્ન બનીને સૂતી હતી. તેને જોતાં જ હરિપેણ બેલી ઊઠો : “અરે! દેવી! આ શુ ? આપના મોં ઉપર આ ઉદાસી શાની ? આવા દિદાર કેમ બનાવી દીધા છે? મારી હયાતિ હોવા છતાં આપને ચિંતાનું શું કારણ છે? એવું તે શું બન્યું છે કે આપે રડી રડીને આ આંખ લાલ કરી નાંખી છે ?" સુરસુંદરી હરિણને જોઈને વધુ ગુસ્સામાં આવી ગઈ સ્ત્રી ચારિત્રને તેણે તે સમયે સુંદર ભાવ ભજવ્યું. તે ક્રોધથી બેલી ઊઠી : તમને શું કહું? તમારો અધિકાર કેટલે ! તમે તો ભીમસેનના નોકર છો. નોકરથી શું થઈ શકે ? આથી તમને કંઈપણ કહેવું એ વૃથા છે ? " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust