________________
૧૧૦
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
કરવાનો છે. જીવ ખાલી માત્ર સાંભળે છે આગળના પગથિયે ચડવાની તસ્દી લેતો નથી. પણ જો સાધક બુદ્ધિના ૮ ગુણો વડે તત્ત્વજ્ઞાનમાં સ્થિર થઈ શુદ્ધ અર્થને આત્માર્થે જોડે તો તેને તેના થકી શુદ્ધાનુભવ પ્રાપ્ત થતાં દ્રાક્ષના રસપાન સરીખો અતિ અદ્દભુત આનંદ પ્રાપ્ત થાય. પ્રવૃત્તચયોગી બુદ્ધિના આ ૮ ગુણોને ધારણ કરનારા હોય છે. તેઓ યમ-નિયમને પામેલા હોય છે. શૈર્યયમ અને સિદ્ધિયમને ધારણ કરવાની ઇચ્છાવાળા હોય છે. યોગસાધનાને પુષ્ટ કરનારા હોય છે. યોગના ઉપાયમાં નિરંતર પ્રવૃત્ત રહેનારા હોય છે. એના પરિણામે ચોથા ભેદમાં નિષ્પન્નયોગી આપણને મળે છે. જેને યોગ સિદ્ધ થઈ ગયો છે. યોગનું ફળ પ્રાપ્ત થઈ ગયું છે.
ગોત્રયોગી અને નિષ્પન્નયોગી એ યોગદૃષ્ટિના અધિકારી નથી. અહીં “કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગીના ઉપકાર માટે આ યોગદષ્ટિનું વર્ણન કરવાનું છે.
પ્રસંગોપાત અહીં ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્મયોગનું પણ વર્ણન કરવાનું છે. હરિભદ્રસૂરિ મ. કહે છે કે, હું ઈચ્છાયોગથી પરમાત્માને નમસ્કાર કરું છું. શાસ્ત્રયોગથી નમસ્કાર કરવા માટે હું સમર્થ નથી. આ રીતે ખુલાસો કરવામાં ન આવે તો માયા – મૃષાવાદનો અમને દોષ લાગે છે. ખુદ ગણધર ભગવંતો પણ “નમુત્યુણેમાં ઈચ્છાયોગથી નમસ્કાર કરે છે.
ઈચ્છાયોગ જીવનમાં આવે તેની કંડીશન - શરતો બતાવે છે જેને કોઈના ઉપદેશથી નહિ, કોઈની પ્રેરણાથી નહિ, પણ સ્વતઃ ધર્મ કરવાની ઈચ્છા જાગે છે. ક્ષયોપશમ ભાવની આ ઈચ્છા જાગૃત થતાં તે જીવ તયોગ્ય શાસ્ત્રોનું નિરંતર શ્રવણ કરે છે. શ્રવણ ઉપર આટલો બધો ભાર એટલા માટે છે કે શ્રવણ વિના તત્ત્વજ્ઞાન થઈ શકતું નથી. તત્ત્વજ્ઞાન દ્વારા જ તત્ત્વ સમજાય છે, ઈચ્છાય છે, પમાય છે. માટે જીવનમાં શાસ્ત્રનું શ્રવણ ઈચ્છાયોગીને હોય જ છે.
છતાં આવો સાધકે પણ અજ્ઞાની હોઈ શકે છે. શાસ્ત્રોના શ્રવણ પછી તેનો બોધ વધતો જાય છે. તે રહસ્યોને સમજી શકે છે. દર્શન, વંદન, પૂજન, સામાયિક, અનુષ્ઠાન વગેરે કરવાથી શું લાભ ? ન કરવાથી શું નુકશાન ? અને આ પ્રવૃત્તિધર્મ, પરિણતિધર્મ પામવા માટે કેટલો બધો ઉપયોગી છે, આવો બોધ તેને થાય છે પછી તે જ્ઞાની બને છે.
આવો જ્ઞાની પણ પ્રમાદી હોઈ શકે છે. અને તે પ્રમાદી હોવાથી જ્યારે જ્યારે ધર્મપ્રવૃત્તિ કરવાનો અવસર આવે છે ત્યારે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ન કરે, પણ ખોડખાંપણવાળી કરે છે. તેવા જીવોની ક્રિયાને, ધર્મને અમે ઇચ્છાયોગ કહીએ છીએ. તેવા જીવોને ઇચ્છાયોગી કહીએ છીએ. આ જીવો વિધિ-વિધાન જાણે છે, કાળ – મુદ્રા વગેરે જાણે છે. બધું ખબર છે, છતાં ક્ષતિવાળી ક્રિયા કરે છે. તેનો શ્લોક નીચે મુજબ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org