Book Title: Yogadraushtina Ajwala Part 1
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 402
________________ ઉપયોગનું સ્વરૂપ જોડેનું સતત અનુસંધાન ૩૭૯ કારણે શુદ્ધોપયોગ ટકતો ન હતો. પાંચમી દષ્ટિમાં શુદ્ધ ઉપયોગ ન હતો. શુભ ઉપયોગ હતો જ્યારે અહીં તો શુદ્ધ ઉપયોગ તરફ લઈ જનારા જ વિકલ્પો હોય છે. આ દષ્ટિમાં જીવને સામાન્ય અને વિશિષ્ટ અપ્રમાદ હોય છે. સામાન્ય અપ્રમાદ એટલે મનુષ્ય જીવનની એક એક ક્ષણ અતિઅતિઅતિ કિંમતી છે એમ જાણી નિદ્રા-વિકથાદિમાં આત્માને ન જવા દેતાં જ્ઞાનીઓએ બતાવેલા ત્યાગ-તપ-સંયમ–દાન–શીલ–પ્રતિક્રમણ-સામાયિક વગેરેમાં રહેવું તે સામાન્ય કક્ષાનો અપ્રમાદ છે. * તેમજ મતિજ્ઞાનના ઉપયોગને રાગદ્વેષમાં ન જવા દેતાં નિરંતર ઉપશમભાવમાં રાખવો-વિકલ્પોને ઊઠવા ન દેવા. કદાચ ઊઠે તો તે સ્વરૂપના સાધક વિકલ્પો જ ઊઠે તે વિશિષ્ટ અપ્રમાદ છે. આ દૃષ્ટિમાં પ્રશાંતવાહિતા હોય છે. “દેખીયે માર્ગ શિવનગરનો જેહ ઉદાસીન પરિણામ રે.” આ ઉદાસીન ભાવ દેઢતર બનતો જાય છે. જ્ઞાનના પરિપાકરૂપ શમ તેને સહજ બને છે. જ્ઞાનસારમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે, विकल्पविषयोत्तीर्णः स्वभावालम्बनः सदा । ज्ञानस्य परिपाको यः सः शमः परिकीर्तितः ॥ સ્વભાવનું આલંબન સદા રહેવાથી વિકલ્પની પરંપરા ઊઠતી નથી એવો જે જ્ઞાનનો પરિપાક તેને શમ કહેવાય છે. તીર્થંકર પરમાત્મા, છઠ્ઠી દૃષ્ટિમાં જ્યાં સુધી ગૃહસ્થપણામાં રહ્યા ત્યાં સુધી ગુસ્સો કર્યો ? એવું શોધી આપશો ! દેવલોકમાં પણ વૈરાગ્ય જ્વલંત બનાવ્યો છે. વૈરાગ્ય દાવાનળ બન્યો છે. પવન દીપકને બૂઝવી શકે છે પણ દાવાનળ તો પવનથી વધુ જ્વલંત બને છે એમ આ તીર્થકરના આત્માઓ વિષયોમાં વધુ જ્વલંત વૈરાગી બને છે. ભગવાને રાજ્ય ભોગવ્યું, લગ્ન કર્યા અને બીજી બાજુ તેમને યોગની છઠ્ઠી દષ્ટિ કહો છો તો કહો આ બધું કઈ રીતે ઘટે ? આના સમાધાનમાં સમજવાનું કે અહીં સાધકને ભૌતિક વિષયોમાંથી ભોગની વૃત્તિ અને સુખની બુદ્ધિ જ નીકળી ગઈ છે. નિકાચિત કર્મના ઉદયે સંસારની પ્રવૃત્તિ છે. અને પોતે અંદરથી અલિપ્ત છે, વિરાગી છે. આ જ વાતને વીતરાગ સ્તોત્રના બારમા પ્રકાશમાં હેમચંદ્રસૂરિ મહારાજે કરી છે. यदा मरुन्नरेन्द्रश्रीस्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम, विरक्तत्वं तदापि ते ॥ ४ ॥ હે ભગવાનું તમારા વડે આ સંસારમાં જ્યારે જ્યારે દેવ કે મનુષ્યના ભોગો ભોગવાય ત્યારે જગતના બીજા જીવોને એમાં રતિ અર્થાત્ આનંદ હોય છે પરંતુ પ્રભો ! આપને તો તે વખતે પણ મહા વિરાગીપણું જ હતું. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434