________________
તેનાં ચિહ્નો, ત્રિવિધ ભિક્ષા, પિંડવિશુદ્ધિ, વૈરાગ્યના ત્રણ ભેદ, ભાવશુદ્ધિનું સ્વરૂપ જણાવ્યું છે. સાતમી ધર્મવ્યવસ્થા દ્વાત્રિશિકામાં - જે સાધુ હોય તે મદ્યમાંસને ખાય જ નહિ, મૈથુનનું સદોષપણું, તપ, અનાયતનનો ત્યાગ કરવો વગેરે બીના વર્ણવી છે. આઠમી વાદદ્વત્રિશિકામાં ત્રણ પ્રકારના વાદ વગેરે બીના જણાવી છે. નવમી કથાાત્રિશિકામાં – અવાંતર ભેદો જણાવવા પૂર્વક ચાર પ્રકારની કથાનું સ્વરૂપે વર્ણવ્યું છે. દસમી યોગદ્ધાત્રિશિકામાં અને અગિયારમી પાતાંજલયોગ દ્વાત્રિશિકામાં – વિવિધ યોગનાં લક્ષણ વગેરે જણાવ્યાં છે. બારમી યોગપૂર્વસેવા નામની દ્વાત્રિશિકામાં - ગુરુપૂજ, દેવપૂજા વગેરેનું સ્વરૂપ જણાવ્યું છે. તેરમી મુકત્યષપ્રાધાન્ય દ્વાત્રિશિકામાં – મુક્તિ, તેનાં સાધન અને મુક્તિનાં સાધનોને સેવનારા ભવ્ય જીવો આ ત્રણેમાં દ્વેષ નહિ રાખનારા ભવ્ય જીવો જ યથાર્થ ગુરુમહારાજ વગેરેની ભક્તિ વગેરે કરી શકે છે. પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં વિષાનુષ્ઠાન વગેરે પણ અનુષ્ઠાન નકામા છે અને છેલ્લા બે તદ્ધતુ અને અમૃત અનુષ્ઠાન કરવા લાયક છે. ચૌદમી અપુનબંધક ધાત્રિશિકામાં અપુનબંધકજીવનું સ્વરૂપ તથા શાંત ઉદાત્ત જીવનું સ્વરૂપ વગેરે બીના જણાવી છે. પંદરમી સમ્યગુદષ્ટિ દ્વાત્રિશિકામાં - શુશ્રષા, ધર્મરાગ, ત્રણ કારણ વગેરે બીના જણાવી છે. સોળમી મહેશાનુગ્રહ નામની દ્વાત્રિશિકામાં - બીજા મતવાળાને માન્ય મહેશનું લક્ષણ, જપનું ફળ વગેરે બીના જણાવી છે. સત્તરમી દેવપુરુષકાર દ્વત્રિશિકામાં નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ, સમ્યગુદર્શન પામ્યા બાદ સંસારી જીવ દેશવિરતિ આદિ ગુણોને ક્યારે કઈ રીતે પામે ? અને માર્ગાનુસારિતા વગેરે ગુણોની બીના દર્શાવી છે. અઢારમી યોગભેદઢાત્રિશિકામાં – યોગના પાંચ ભેદો, મૈત્રી આદિ ચાર ભાવના, ધ્યાન, સમતા વગેરેની બીના જણાવી છે. ઓગણીસમી યોગવિવેક નામની દ્વાત્રિશિકામાં - ત્રણ પ્રકારનો યોગ, યોગાવંચક વગેરે ત્રણ અવંચકનું સ્વરૂપ વગેરે બીના જણાવી છે. વીસમી યોગાવતાર ધાત્રિશિકામાં - સમાધિ, આત્માના ત્રણ ભેદ, જરૂરી દષ્ટિનું સ્વરૂપ વગેરે બીના જણાવી છે. એકવીસમી મિત્રા દ્વાત્રિશિકામાં દષ્ટિના આઠ ભેદ પૈકી પહેલી મિત્રાદષ્ટિનું વિસ્તારથી સ્વરૂપ જણાવ્યું છે. બાવીસમી તારાદિ દ્વાત્રિશિકામાં ત્રણ દષ્ટિનું એટલે બીજી તારાદિષ્ટ, ત્રીજી બલા અને ચોથી દીપ્રાનું સ્વરૂપ જણાવ્યું છે. તેવીસમી કુતર્કગ્રહનિવૃત્તિ નામની ધાર્નેિશિકામાં - કુતર્કનું સ્વરૂપ, ત્રણ પ્રકારનો બોધ, સદનુષ્ઠાનનું
મહાન -પોતિર્ધર n