________________
બીજી અને ત્રીજી કડીઃ મધુમય ઝંકાર ઉપશમ અમૃત રસ પીજીએ, - - -
કિજીયે સાધુગુણ ગાન રે; અધમ વયણે નવિ ખીજીએ,
- દીજીયે સજ્જનને માન રે. ક્રોધ અનુબંધ નવિ રાખીએ,
- ભાખીએ વયણ મુખ સાચ રે; સમક્તિ રત્ન રુચિ જોડીએ,
છોડીએ કુમતિ મતિ કાચ રે.... સાધનાના ક્ષેત્રે કદમ ઉપાડતાં પહેલાં હૃદયે જોઈશે મધુમય ઝંકાર. બીજી અને ત્રીજી કડી આ ઝંકારની વાતો લઈ આવી રહી છે.
ઉપરના બે દુહામાં વર્ણવેલ આઠ હિતશિક્ષાઓનું પાલન આપણને સમતા, સાધુપુરુષો પ્રત્યેનું સન્માન, સત્યભાષણ અને સમકિત જેવી સંપદાઓની ભેટ આપે છે.
ઉપશમ અમૃત રસ પીજીએ.” “અઘમ વયણે નવિ.ખીજીએ' અને ક્રોધ અનુબંધ નવિ રાખીએ આ ત્રણ હિતવચનોના પાલનથી સમતા પુષ્ટ બને છે. “કીજીએ સાધુ ગુણ ગાન રે” અને “દીજીએ સજ્જનને માન રે” પંક્તિઓ સાધુપુરુષોની ભક્તિ કરવા પ્રેરે છે. “ભાખીએ વયણ મુખ સાચ રે' કડી સત્ય ભાષણ માટે ઉદ્દબોધન આપે છે. “સમક્તિ રત્ન રુચિ જેડીએ” અને “છોડીએ કુમતિ મતિ કાચ રે આ બે હિતવચન મિથ્યા દષ્ટિ છોડી સમ્યકત્વ પ્રાપ્તિ માટે પ્રેરણા આપે છે.
આઠે હિતશિલાઓનું પાલન કેવો ઝંકાર ખડો કરે છે?
ચિત્તમાં સમત્વ વ્યાપી જાય ત્યારે અનાદિની રાગ અને દ્વેષની ગાંઠો થોડી ઢીલી પડવાથી ચિત્ત રસથી છલકાતું બને છે. શ્રીપાળરાસમાં ગ્રન્થકારે કહ્યું છે તેમ સ-રસતાને ગ્રન્થિમુક્તતા નિર્ઝન્યતા જોડે પૂરો સંબંધ છે. (પ્રેમ તણી પેરે શીખો સાધો, જોઈ શેલડી સાંઠો; જિહાં ગાંઠ તિહાં રસ નવિ દીસે, જિહાં રસ તિહાં નવિ ગાંઠો રે....)
હવે મહાપુરુષોનાં ગુણગાન કરવાનું મન થાય છે. ફૂફાડા મારતો અહમૂનો ફણિધર હવે હેઠો બેઠો છે. અહમુની શિથિલતાને જ કારણે કોઈ
veleted a yo