________________
થોડાક દિવસ માટે હોવાથી અસ્થાયી છે અને છેલ્લે હાથમાં રહે છે માત્ર ધૂળ.
આ રીતે સંસારમાં ભૂલેલા જીવને અંતે તો સંસારના કષ્ટ જ પ્રાપ્ત થાય છે. આ ભાવને રૂપક દ્વારા સમજાવતાં તેઓ કહે છે : “મોહ રૂપી લગામની જાળમાં આ મન ફસાઈ ગયું છે. જેમાં આ મૃગરૂપી આત્મા દિભ્રમિત થઈ રહ્યો છે. અને જે આમાં ફસાતો નથી તે મુનિ છે. તેને કોઈ દુઃખ થતાં નથી. માણસ પોતે જ પોતાનો સમીક્ષક બની સર્વ જાણી શકે છે. અને આત્મદોષ જાણ્યા પછી જ જ્ઞાનના રસને પ્રાપ્ત કરી શકે છે.
અહંકાર સૌથી મોટું દૂષણ છે. પરદ્રવ્ય જેવા અહંકારને આપણે આપણામાં ધારણ કરી લઈએ છીએ. પરિણામે આત્મ-ગુણોની સુગંધથી વંચિત રહી જઈએ છીએ, જ્યારે અહમને જ આપણો ગુણ માની લઈએ છીએ, ત્યારે અન્યથી સંબંધ છૂટી જાય છે. તાત્પર્ય કે અહમુને કારણે આત્મદર્શનમાં વિઘ્ન ઉત્પન્ન થાય છે. આત્મસ્વરૂપ તો લિંગધારી (સંસારી) કરતાં ઘણું ઊંચું છે. તે અનામી અને અરૂપી છે. આત્મ-સ્વરૂપની પ્રાપ્તિ માટે દેહથી ઉપર ઊઠવાનું જરૂરી છે. આત્માના ગુણની નીતિ ત્યારે જ થઈ શકે છે, જ્યારે તેનું ચિંતવન દેહથી ભિન્ન તત્ત્વ માનીને કર માં આવે. અન્યથા આપણે ભ્રમ અને વાસનાઓની ભુલભુલામણીમાં દુ:ખી થઇને ભટકતા રહીએ છીએ. આપણે જે ચર્મચક્ષુથી જોઈએ છીએ તે ચેતન નથી. ચેતન દવ્ય નથી. તે તો અનુભવની વસ્તુ છે.
હે જીવ! તું પ્રેમ કે ક્રોધ કોના પર કરે છે? આ બધી તો સ્વયં ક્ષય થનાર વસ્તુ છે. આ બધા વ્યાપાર તો દેહના છે. જે અસત્ય છે. તું તો સંસારની ગ્રાહ્ય અને ત્યાજ્ય વસ્તુઓમાં અટવાયેલો છે. જેઓ સિદ્ધ પુરુષ છે એટલે જેઓ અંતરંગ અને બહિરંગથી એક છે તેઓને ત્યાગ કે પ્રાપ્તિ કશું જ હોતાં નથી. જ્યારે આ મન આત્મજ્ઞાનમાં લીન બને છે, ત્યારે કાયા પ્રત્યેનું મમત્વ છોડી દે છે – જેથી શુભ ભાવનાઓ જન્મે છે અને ત્યારે જ આ જીવને ગુણ એટલે કે આત્મસુખનો અનુભવ પ્રાપ્ત થાય છે. | મુનિશ્રી સંસારી અને સિદ્ધના ભેદને સરળતાથી સમજાવતાં કહે છે કે “આરંભ' એટલે સાંસારિક પ્રવૃત્તિઓમાં યોગીને દુઃખ થાય છે. તે સાચું સુખ તો ત્યારે જ પ્રાપ્ત કરે છે જ્યારે તે આ સાંસારિક સુખનો ત્યાગ કરે છે. હકીકતે તો જ્યાં બાહ્ય સુખ છે ત્યાં આંતરિક દુઃખ છે અને જે યોગસાધનામાં લીન બની બાહ્ય દુઃખ સહન કરી રહ્યો છે તે જ અંતરના સાચા સુખને પામી રહ્યો છે.
સમાધિશતક'' B ૧૮ટ છે