________________
આમ બત્રીસ અષ્ટકોમાં મુનિજીવના સાધ્ય-સાધનના વર્ષ છે. ચારિત્ર પામે છે, ઉપશાંત થાય છે, જિતેન્દ્રિય બને છે, ત્યાગી બને છે, ક્રિયામાં તત્પર બને છે, પાપ રૂપ લેપથી રહિત બને છે. આની વાણીના તરંગોથી કોમળ કરેલું મન તીવ્ર મોહ અગ્નિના દાહની-શોષની પીડાને પામતું નથી. વળી ક્રિયા રહિત જ્ઞાન અને શાન રહિત ક્રિયા-આ બંનેનું અંતર સૂર્ય અને ખજૂરના જેટલું છે અને પૂર્ણ વિરતી રૂપ ચારિત્ર જ્ઞાનનો ઉત્કર્ષ છે. માટે આ શાન સાર ગ્રંથ દ્વિારા સર્વે જીવો માટે કલ્યાણકારી બનનારા થાઓ, એમ શુભેચ્છા પાઠવવામાં આવી છે અને સૌનું કલ્યાણ થાય તે સાથે પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે: મને તારા જેવો બનાવ.”