Book Title: Yasho Bharti
Author(s): Kumarpal Desai
Publisher: Chandroday Charitable Religious Trust

View full book text
Previous | Next

Page 296
________________ સુંદર જ ચર્ચાવાના, જેથી મુમુક્ષુઓને માર્ગદર્શન મળે. તો એ બધાં વ્યાખ્યાનોને ટૂંકમાં સારગ્રાહી-શૈલીએ સંકલિત કરી લેવા જરૂરી ગણાય ને પુસ્તકાકારે એનું પ્રકાશન પણ થવું જરૂરી ગણાય. પૂ. ઉપાધ્યાયજીનું સહેલું અને સરળ અઢળક સ્તવન સાહિત્ય લોકમુખે પુનઃ ગવાતું થાય એવું કોઈ આયોજન વિચારાય તો ભક્તિનો ઓર ઉછાળો | જિનમંદિરો આદિમાં જોવા મળે. આજે ગવાતા ચાલુ આધુનિક સ્તવનો ક્યાં અને તે પૂ. ઉપાધ્યાય મ. ના અર્થભાવ ગંભીર સ્તવનો ક્યાં ? માટે આ સ્તવનોના ફેલાવા માટેય સ્તવન કંઠસ્થ સ્પર્ધા જેવી કોઈ આયોજના જરૂરી ગણાય. આ માટે પૂ. ઉપાધ્યાય મ. ના નાનાં ને સહેલાં સ્તવનોની નાનકડી | પુસ્તિકાનું નયનરમ્ય પ્રકાશન પણ પ્રથમ આવશ્યક ગણાય. સ્તવનો એવાં ચૂંટી શકાય કે, જેમાં ભક્તિરસ વધુ હોય. નાનકડા મગજમાં જે કાંઈ થોડું ઘણું સ્કુરાયમાણ થયું એ લખ્યું છે. બાકી આ પ્રવચનમાળા સફળ બને, આનાથી કોઈ નક્કર પ્રભાવનો પાયો પૂરાય, એવી શુભેચ્છાઓ સાથે વંદનાવલિ. Dમુનિ પૂર્ણચંદ્રવિજયગણિ (સુરત) શ્રી યશોભારતી જૈન પ્રવચનમાળા'નું આયોજન જાણી ખૂબ જ આનંદ. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજશ્રી જૈન શાસનના મહાન જ્યોતિર્ધર પુરુષ હતા. તેઓશ્રીનું અગાધ પાંડિત્ય અને અનુપમ ગ્રંથ રચના કૌશલ ઇતિહાસમાં અપૂર્વ છે. આવા આયોજન દ્વારા ઉપાધ્યાયજી પ્રત્યે ભક્તિ પ્રદર્શન કરવાપૂર્વક તેઓના ગ્રંથોના વાચન, મનન અને પરિશીલન વધે એ જ શુલાભિલાષા. આ. હેમચંદ્રસૂરિશ્વરજી મ. (મુંબઈ) પૂજ્ય ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મ. એ ૧૭મી સદીના મહાપ્રભાવક અને વિવિધ ક્ષેત્રે શાસનપ્રભાવક પૂજ્ય પુરુષ થઈ ગયા. જેઓશ્રી ઉપાધ્યાયજી'ના હુલામણા નામથી પ્રસિદ્ધ થઈ ગયા. ન્યાય, દર્શન અને સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર રચના કરી તેમ જ સાદી, સરળ અને સચોટ શૈલીમાં સ્તવનાદિ રચી આપણા ઉપર મહાન ઉપકાર કરેલ છે. જે ગ્રંથોનું અધ્યયન - ભાવાંજલિ En ૨૭૯ .

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302