Book Title: Yasho Bharti
Author(s): Kumarpal Desai
Publisher: Chandroday Charitable Religious Trust

View full book text
Previous | Next

Page 298
________________ પહેલી જ વાર વિશાળ પાયા ઉપર “શ્રી યશોવિજયજી જૈન સારસ્વત સત્ર' એ નામ નીચે સ્વર્ગસ્થનો અભૂતપૂર્વ સમારંભ થયો હતો, ત્યાર પછી આ બીજો સમારંભ થઈ રહયો છે. આથી જૈન-જૈનેતર સમાજ ગુજરાતના એક મહાન સારસ્વત પુત્રની તેમ જ તેઓશ્રીના મહાન જીવન અને મહાન કવનની કંઈક ઝાંખી કરી શકશે. આ પ્રસંગે ઉપાધ્યાયજીની કાયમી સ્મૃતિ માટે શું કરવું જોઈએ એ અંગે કંઈક સક્રિય વિચારણા થાય તો ઉપાધ્યાયજીને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ થશે. ઉપસ્થિત મુનિરાજોને વંદના, વિદ્વાનોને ધર્મલાભ અને રાજનગરની ભાવિક પ્રજાને ધર્મલાભ. | આ. શ્રી યશોદેવસૂરિશ્વરજી (પાલીતાણા) પત્રિકા વાંચતા ખૂબ આનંદ અનુભવ્યો.પૂ. મહોપાધ્યાયશ્રીયશોવિજયજી મ. સા. ને થયાને ત્રણસો વર્ષ થયા. આજ તેમને યાદ કરી શ્રી યશોભારતી જૈન પ્રવચનમાળા ગોઠવીતેની અનુમોદનામાં જુદા જુદાપૂ. આચાર્યભગવંતો, પંન્યાસ શ્રી, મુનિઓ તેમ જ જુદા જુદા ગૃહસ્થો તેમના જીવનનો પરિચય કરાવશે અને તે સાંભળતા અનેક જીવો કેવો આનંદનો અનુભવ કરશે તેમ પોતાના જીવનમાં તેનો રસાસ્વાદ મેળવી પોતાના જીવનને ધન્ય બનાવશે. સાથોસાથ તેમના જીવનને સ્પર્શતી રંગોળી તેમના જીવનના મહત્ત્વપૂર્ણ વિશિષ્ટ પ્રસંગોના ઓઈલ પેઈન્ટ ચિત્રો, તેમના સ્વહસ્તે લખેલા ગ્રંથોનું પ્રદર્શન ગોઠવાશે. આ બધા પ્રસંગો વાંચી ભૂરિ ભૂરિ અનુમોદના. આપના આ વિચારો અને પરિશ્રમને ધન્યવાદ ઘટે છે. | આ. અશોકચંદ્રસૂરિશ્વરજી (અમદાવાદ) અમ દેશને सरिचंदवराणां चन्द्रोदयसरीश्वराणां पुरतः सादरमनुवन्दना व्यक्तीकृत्य सन्देशरूपं निवेदनं किंचित्करोमि, श्रूयतां तावत, श्रीमत्याः श्रीयशोभारती जैन प्रवचनमालाया आयोजनं कृत्वा भवद्भिः पू. पा. महामहोपाध्यायश्रीमद्विजय यशोविजय महाराजस्य -जीवनरूप पवित्रतगङगाया प्राकृतरूपवतः ભાવાંજલિ 1 ૨૮૧

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302