________________
૧૮ પાપસ્થાનકોની સઝાયો, અમૃતવેલથી સઝાય એવા અનેક ગૂઢ રહસ્યોથી ભરેલા ગ્રંથો તેમ જ પ્રભુભક્તિરૂપે અનેક ચોવીશીઓ, ૩-૩ ગાથા, પ-૫ ગાથાનાં સ્તવનોમાં સરળ ભાષાની ગોઠવણ કરી પ્રભુભક્તિમાં ઓતપ્રોત બની રહેવા સુંદર આલંબન આપી ગયા છે. જૈન શાસનમાં અને આ વિષમકાળમાં ખૂબ ખૂબ ઉપકાર કરેલ છે તે મહાપુરુષને યાદ કરી તેઓની ૩૦૦ વર્ષની ઉમ્પણી કરી જ્ઞાન અને જ્ઞાની પુરુષનું બહુમાન કરવા બદલ ખૂબ ખૂબ આનંદ થયેલ છે. સાથે ભૂરિ ભૂરિ અનુમોદના કરેલ છે. | | સાધ્વીશ્રી નરેન્દ્રશ્રીજી તથા વિદ્યુતપ્રભાશ્રીજી મ.
| (અંચલગચ્છ) પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ સાહેબના ત્રિશતાબ્દી વર્ષને અનુલક્ષીને શ્રી યશોભારતી જૈન પ્રવચન માળાના શુભ કાર્યક્રમની કોપી મળી છે.
મહાન જ્યોતિર્ધર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ સાહેબે તાત્ત્વિક દાર્શનિકવૈરાગ્યમય તેમ જ પ્રભુભક્તિના પ્રોત્સાહક વિવિધ સાહિત્યનો અમૃતકુંભ વારસામાં આપ્યો છે. શ્રી જૈન સંઘમાં આજે આબાલ ગોપાલ જેનો રસાસ્વાદ લઈ રહ્યો છે. તે શ્રીમન્મહોપાધ્યાયજીનો પરમચિરસ્મરણીય ઉપકાર છે.
છેલ્લા ત્રીશ દાયકામાં તેઓશ્રીની વિદ્વત્તા અજોડ હતી. ખરેખર તેઓશ્રી “લઘુહરિભદ્ર' હતા.
૮૯ વર્ષથી ચાલતી આ ““શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા” નામની સંસ્થા પૂજ્યશ્રીના શુભ નામથી અંકિત થયેલી છે, તેના માટે સંસ્થા ગૌરવ અનુભવે છે અને તેઓશ્રીના ત્રિશતાબ્દી વર્ષ નિમિત્તે થતી પ્રવચન માળાની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.
| | પં. વસંત ન. શાહ શ્રી છબીલાદાસ કે. સંઘવી
ખંભાત શ્રી રમણલાલ ચી. શાહ શ્રી ઝવેરચંદ કેસરીચંદ ઝવેરી સૂરત શ્રી કપૂરરચંદ આર. વારૈયા પાલીતાણા શ્રી ચીમનલાલ પાલીતાણાકર મુંબઈ
મુંબઈ
ભાવલિ D R૮૩