________________
અધ્યાપન, ચિંતન-મનન-નિદિધ્યાસન કરતાં આપણું મસ્તક પૂજ્યશ્રી પ્રત્યે અહોભાવથી ઝૂકી જાય છે.
પૂજ્યશ્રીના ગુણાનુવાદ કરવા સાથે તેઓશ્રીએ જીવન દરમ્યાન શાસનસેવા અને શ્રુતસેવાનો પરિચય મેળવવા તમોએ જે “યશોભારતી પ્રવચનમાળા'યોજી તે પ્રસંગોચિત અને અનુમોદનીય છે.
પૂજ્યશ્રીએ જ્ઞાનસાર અષ્ટક જ્ઞાનમાં નિમગ્ન જ્ઞાનીને કેવી સુંદર ઉપમા આપેલ છે......! “જ્ઞાની નિમજજતિ જ્ઞાને, મરાલ ઈવ માનસે'....
D આ. મેરુપ્રભસૂરિશ્વરજી સંતપ્રસૂ ગુજરાતની જ ધરતી પર જન્મેલા અને કાશીના વિદ્યાધામમાં જઈ કાશીની જ રાજસભામાં મહાન શાસ્ત્રાર્થ કરી વિજેતા બની વિજય-ડંકો વગાડનાર, જૈનશાસનનું ગૌરવ અને ધર્મભૂમિ ગુજરાતનું નામ રોશન કરનાર, ગુજરાતમાં નવ્ય ન્યાયની વિશિષ્ટ શૈલી દ્વારા દાર્શનિક તત્ત્વજ્ઞાનના આદ્ય પ્રસ્તોતા, ષડ્રદર્શનના ઊંડા જ્ઞાતા, સરસ્વતી લબ્ધપ્રસાદ, તર્કન્યાયના સર્વોચ્ચ વિદ્વાન, ચાર-ચાર ભાષામાં અનેક વિષય ઉપર સાહિત્યનું સર્જન કરી પ્રા ઉપર મહાન ઉપકાર કરનાર, આધ્યાત્મિક ક્ષેત્રના મહાન વૈજ્ઞાનિક, સર્વતોમુખી પ્રતિભાસંપન્ન, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ગુણાનુવાદ કરવા, તેમની શ્રત-સાહિત્યને શ્રધ્ધાંજલિ આપવા વિવિધ રીતે શ્રેષ્ઠ શાસન પ્રભાવના કરી રહેલા વિદ્વાન વક્તા આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરિજી મહારાજની પ્રેરણાથી રાજનગરના આંગણે જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે જાણીને અસાધારણ કોટિનો આનંદ અનુભવું છું.
દીક્ષા સ્થળ ગુજરાત, પદવી સ્થળ ગુજરાત, કાર્યક્ષેત્ર ગુજરાત અને ઉપાધ્યાયજીના કવન-સાહિત્યને સૌથી પહેલાં અને સૌથી વધુ પ્રકાશિત કરનાર પૂજ્ય સૂરિસમ્રાટની પ્રેરણાથી જ સ્થપાયેલી સંસ્થા એટલે રાજનગર (અમદાવાદ) સાથે ઉપાધ્યાયજી મહારાજનો સારો એવો નાતો રહેલો છે, એટલે ગુજરાતની રાજધાનીમાં સાહિત્યોત્સવની ઉજવણી જે થઈ રહી છે તે બરાબર યોગાનુયોગ છે.
ડભોઈ તેઓશ્રીની સ્વર્ગવાસ ભૂમિ છે. આ ભૂમિ ઉપર આજથી ૩૩ વર્ષ ઉપર પૂજ્ય ઉપાધ્યાયજીના સ્વર્ગવાસ પછી ૨૫૦ વરસના લાંબા ગાળા બાદ
િયશોભારતી n ૧૮૦ -