Book Title: Yasho Bharti
Author(s): Kumarpal Desai
Publisher: Chandroday Charitable Religious Trust

View full book text
Previous | Next

Page 276
________________ બ્રહ્મચર્યરૂપ અમૃતકુંડોની સ્થિતિના સ્વામી ક્ષમાનું પાલન કરતા સ્વામી શેષનાગની જેમ શોભી રહે છે, મહાદેવની જેમ શોભે છે. વળી ગણ જ્ઞાનદર્શન ચારિત્રમાં રહેલા આત્માને અરિહંતપદની - સિદ્ધિપદની પદવી દૂર નથી, તે જ તેની સર્વ સમૃદ્ધિ છે. હે મુનિ, જો તું સાથે સાથે કર્મનો વિપાક પણ જાણી લે. દુ:ખમાં દીન ના બનીશ. અશુભ કર્મના ઉદયથી યોગ્ય ભિક્ષા પણ મળતી નથી. દુષ્ટ ભાવોમાં રમીશ નહીં. જે અગિયારમા ગુણસ્થાનક સુધી પહોંચેલાને પણ કર્મ પછાડે છે તો તું તેથી સાવધ થા. અનંત સંસાર પરિભપ્રણ કરાવે છે. માટે તું કર્મના શુભાશુભ વિપાકને હૃદયમાં વિચારીને સમતા ધારણ કર, તો જ જ્ઞાનાનંદરૂપનો ભોગી બની શકે છે. ભવનો ઉદ્વેગ કર. સંસાર-સમુદ્રથી સદા કંટાળેલા જ્ઞાની પુરુષો સદા તરવાનો પ્રયાસ કરે છે. ભવ પરિભ્રમણથી ભય પામેલા મુનિ ચારિત્ર ક્રિયામાં જ એકાગ્ર ચિત્તવાળા હોય છે, ઉપસર્ગોનો ભય નથી હોતો, કારણ સંસારના પરિભ્રમણનો ભય છે માટે તે સહન કરે છે અને તે ભવ-ભય સમાધિમાં જ વિલીન થઈ જાય છે. લોકો કહે તેમ કરવું તેવી લોકસંજ્ઞાનો ત્યાગ કર. બીજા કહે માટે કરવું. શાસ્ત્રાર્થનો વિચાર ન કરવો, તેમ દુબુદ્ધિવાળા લોકો કહે છે, જનરંજન માટે શુદ્ધ ધર્મનો ત્યાગ ના કરાય. મિથ્યાદષ્ટિવાળા ઘણા છે, માટે બધા તે કહે તે જ કરવું તે ખોટું છે. મોક્ષના અર્થીઓ લૌકિક તેમ જ લોકોત્તર | માર્ગમાં થોડા જ છે? રત્નના વેપારી થોડા હોય છે, તેમ આત્માની સાધના કરનાર પણ થોડા જ છે. આથી જ્ઞાન વધુ મેળવવાનો પ્રયાસ કરવાનો છે, શાસ્ત્રદષ્ટિ શું છે તે જાણવું જરૂરી છે. સિદ્ધોને કેવળ જ્ઞાનની આંખ હોય છે. અને તેમાં જોયેલા પદાર્થનું શાસ્ત્રમાં નિરૂપણ થયું છે માટે મુનિભગવંતોને શાસ્ત્ર એ જ આંખ છે. તેના દ્વારા સર્વ ભાવોને આંખ સમક્ષ જોઈ શકે છે. શાસ્ત્રનું વચન તે વીતરાગનું વચન છે. તેનાથી વીતરાગની સ્મૃતિ થાય છે અને તેથી સર્વ અર્થોની સિદ્ધિ થાય છે. તેથી જ શાસ્ત્રમાં કહેલું માનનાર, પાળનાર જ્ઞાન ધારણ કરનાર આત્મા મોક્ષ પામે છે. પરિગ્રહ એ સંસાર વધારનારો છે, જે દશમો ગ્રહ ગણાય છે. એ સાધુજીવનથી પતિત કરી દે છે. માટે તે છોડવાનો છે. બાહ્ય ભાવો-પરિગ્રહ પ્રત્યે જે તણખલાની જેમ ઉદાસીન ભાવ રાખે છે તેના ચરણકમળ ત્રણેય લોકના જીવો સેવે છે. પરિગ્રહનો ત્યાગ કરતાં સઘળાં પાપો ચાલ્યાં જાય છે. મૂચ્છથી રહિત યોગીઓને સંપૂર્ણ જગત અપરિગ્રહ કરવા જેવું બરસા RT

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302