Book Title: Yasho Bharti
Author(s): Kumarpal Desai
Publisher: Chandroday Charitable Religious Trust

View full book text
Previous | Next

Page 285
________________ સાનસાર તૃતિબહેન પૂજ્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ જૈનશાસનની મહાન હસ્તીઓ કે જેઓએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી તન-મન-ધનથી સર્વોત્કૃષ્ટપણે શાસનની અનુપમ સેવા કરી છે, તેઓમાંના એક હતા. પૂજ્યશ્રીનો જન્મ સત્તરમી સદીમાં કન્ડોડ ગામમાં (પાટણ પાસે) થયો હતો. બાલ્યવયમાં જ સંયમ ગ્રહણ કરી ગુરકપા અને મા સરસ્વતીની કૃપાથી તીવ્ર યાદશક્તિ અને અનુપમબુધ્ધિના યોગે કરીને મહાવિદ્ધાન થયા. તેઓશ્રીને વ્યાકરણ, કાવ્ય, કોષ, અલંકાર, છંદ, તર્ક, ન્યાય, જિનાગમ, ન નિક્ષેપ, પ્રમાણ, સમભંગી, આદિ સર્વ વિષય સંબંધી ઊંચા પ્રકારનું જ્ઞાન હતું. પદર્શનનું સ્વરૂપ તેઓશ્રીને સુવિદિત હતું. જૈનદર્શનનું યથાર્થ સ્વરૂપ તેઓ સમજ્યા હતા. ભવ્યાત્માઓને તત્ત્વ સ્વરૂપ સમજાવવાને માટે તેમણે અનેક ગ્રંથોની રચના કરી છે. તેઓશ્રીએ ૧૧૦ ગ્રંથો, બે લાખ ન્યાયના શ્લોકો, સજઝાયો, પરમાત્માનાં સ્તવનરૂપ ત્રણ ચોવીશીઓ વગેરેની રચના કરી હતી. તેઓશ્રીના ગ્રંથોમાં અપૂર્વ કવિત્વ, પાંડિત્ય, વાષ્પટુતા, પદલાસિત્ય, અર્થગૌરવ, રસ, અલંકાર, છંદ, પરપક્ષખંડ અને સ્વપક્ષમંડન સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય છે. તેઓશ્રી શ્રી આનંદધનજી મહારાજ, શ્રી વિનયવિજયજી મહારાજ, શ્રી સત્યવિજય ગણિ વગેરે મહાવિદ્વાન આધ્યાત્મિક અને તત્ત્વવેત્તા મહાપુરુષોના સમકાલીન હતા. ન્યાયવિશારદ અને ન્યાયાચાર્યાદિ બિરુદ ધારણ કરનાર, મહાવૈયાકરણી,બુદ્ધયંભોનિધિ, તાર્કિક શિરોમણી, વાચક કુલચંદ્ર શ્રી યશોવિજયજી મહારાજના રચેલા ગ્રંથોમાં તેમનાં વચનો શંકાના ખુલાસા માટે પ્રમાણભૂત ગણાય છે. વિ.સં. ૧૭૪૩ માગસર સુદ ૧૧ને દિવસે ડભોઈમાં સ્વર્ગે સંચરનાર આ પુણ્યશાલી મહાપુરુષની ત્રિશતાબ્દી વર્ષની સાર્થકતા તેઓશ્રીએ કરેલ અપૂર્વ શાસનસેવા અને શ્રુતસેવાનાં મહાન કાર્યની અનુમોદના અને તેવાં કાર્યો ભવિષ્યમાં કરવાના સંકલ્પ કરીએ તો જ થશે. જ્ઞાનસાર” એ ઉપાધ્યાય મહારાજની રચનાનો એક તત્ત્વદષ્ટિગંભીર સુંદર નમૂનો છે. આ ગ્રંથમાં મોક્ષની નિસરણી રૂપ જુદા જુદા બત્રીસ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આધ્યાત્મિક રીતે પ્રત્યેક વિષય ( યશોભારતી n ૧૮

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302