________________
આમ, ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે બત્રીસ અષ્ટકમાં જ્ઞાનીનાં લક્ષણો વર્ણવેલાં છે. પ્રત્યેક જીવનો મૂળસ્વભાવ પરભાવ છોડી સ્વભાવમાં રમણ કરવાનો હોય છે. તેવા જીવો માટે આ પુસ્તક ખરેખર જ્ઞાનભંડારરૂપ બની જાય છે. શુદ્ધ આત્મતત્ત્વના બત્રીસ અધિકારોથી યુક્ત આ ગ્રંથ જ્ઞાનની પૂર્ણતાનો ઉત્કૃષ્ટ નમૂનો છે, જ્ઞાનનો સાર છે. વીતરાગ પરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધ અને જ્ઞાનસાર ગ્રંથની વિરુદ્ધ કંઈ પણ લખાઈ ગયું હોય તો ત્રિવિધે ક્ષમા યાચું છું.
યશોભારતી B ૨૭૪