Book Title: Yasho Bharti
Author(s): Kumarpal Desai
Publisher: Chandroday Charitable Religious Trust

View full book text
Previous | Next

Page 275
________________ પડી જાય છે, જ્યારે આત્મભાવનું અન્વેષણ કરતો આત્મા અવિવેકમાં ડૂબતો નથી. વિવેકરૂપી સંયમ કર્મોનાં ગાઢ બંધનોને તોડવા સમર્થ બને છે. આથી તેનામાં માધ્યસ્થ ગુણ પ્રકટ થાય છે. આત્મા સંસારના ભાવો પ્રત્યે રાગીવિરાગી ના બને, મધ્યસ્થ ભાવનાવાળો રહે. મનરૂપ વાછરડો ગાયની પાછળ | દોડે છે જ્યારે કદાગ્રહી માણસો એટલે કે મનરૂપી વાંદરો ગાયને પૂંછડેથી ખેંચે છે. પોતાનાં કર્મોથી વશ બનેલા અને તેને ભોગવનારા મનુષ્યો-મુનિઓ મધ્યસ્થ રહે છે, રાગદ્વેષ કરતા નથી. પારકાના દોષ જેવા અને ગુણ પ્રણ કરવામાં મન રોકાય છે તેટલો સમય મધ્યસ્થરૂપ પર આત્મધ્યાનમાં રહેવું જોઈએ. વળી મધ્યસ્થી નિર્ણય બને છે. આત્મ-સ્વભાવમાં રહેનારો નિર્ભય છે. તેને ભય નથી. સંસારનાં સુખો ભયરૂપ છે, અગ્નિ જેવાં દઝાડનાર છે. જ્ઞાન-સુખ જ સર્વ સુખોમાં નિર્ભય છે. જે પદાર્થોને જ્ઞાનથી જોવામાં આવે તેને ભય ક્યાં હોય ! મોહના લશ્કરને છિન્નભિન્ન કરે છે તેને ભય નથી રહેતો. મનના વનમાં મોરલી જેવી જ્ઞાનદષ્ટિ કરતી હોય તો આનંદરૂપ એવા ચંદનના વૃક્ષમાં ભયના નાગ ન વિંટાઈ જાય. જ્ઞાનરૂપ મુનિને ભય હોતો જ નથી. ચારિત્રભાવ જેના ચિત્તમાં હોય, અખંડ જ્ઞાન ચિત્તમાં હોય તેને ભય જ ક્યાંથી હોય? નિર્ણય આત્મા અનાત્મ પ્રશંસામાં ડૂબી જાય છે કે? પોતાની જાતની પ્રશંસા કરવાથી શું લાભ? ગુણોથી જો પૂર્ણ હોય તો આત્મપ્રશંસાની કોઈ જરૂર નથી. તું તો સુકૃતો જ કર. ચિદાનંદથી પૂર્ણ આત્માને શરીરરૂપ, લાવણ્ય, ગામ-નગર-બગીચો ઘન વગેરે પરદ્રવ્યથી પરધર્મોથી અભિમાન કેમ ? સર્વ નયોમાં રાચનારા મુનિને પર્યાયોનાં અભિમાન નથી થતાં. જ્ઞાનના ગુણનું પરપોટાની માફક શા માટે વિસર્જન કરે છે? તારી તત્ત્વદષ્ટિનો વિકાસ કર. પૌદ્ગલિક દષ્ટિ રૂપ જોઈને મોહ પામે છે જ્યારે તત્ત્વરૂપી રૂપરહિત આત્મામાં મગ્ન થાય છે. બાહ્ય દષ્ટિએ ભ્રમ છે. તેમાં રહેવાય જ નહિ તો શા માટે સુખની ઇચ્છાથી તેમાં જાય છે? અટકી જા, ના જઈશ. બાહ્યદષ્ટિથી વસ્તુનું નિરૂપણ બરાબર થતું નથી, પરંતુ તત્ત્વદષ્ટિએ જોતાં કંઈ વિચિત્ર છે. બહારથી સ્ત્રી અમૃતના સારરૂપ લાગે છે, પરંતુ તત્ત્વદષ્ટિએ વિષ્ણુ અને મૂત્રથી ભરેલી હાંડલી લાગે છે. તત્ત્વજ્ઞ પુરુષો હાથી-ઘોડાના મંદિરને જંગલ જેવું જુએ છે. તત્ત્વદષ્ટિ વિશ્વોપકાર માટે છે. ઉપરનું પગથિયું ચઢતાં સર્વ સમૃદ્ધિનો ખ્યાલ આપે છે. વિષયો-કષાયો બાહ્ય પદાર્થોને રોકવાથી આત્મા મહાસમૃદ્ધિનો અનુભવ કરતો દેખાય છે. સમાધિ, વૈર્ય, સમતા, જ્ઞાન, રૂપ વગેરે તેની સમૃદ્ધિ છે. વળી યમોભારતી n ૨૫દ

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302