________________
થઈ! કોણ જાણે ગુપ્ત રીતે શો ઈશારો કર્યો કે મને ત્યજી દીધી? રાજીમતી ફરિયાદ પણ કેવા દાક્ષિણ્યભાવથી કરે છે અને આગળ વિલાપ કરતાં રાજીમતી કહે છે કે, પ્રીત કરવી સહેલી છે પણ તેને નિભાવવી ઘણી કઠણ છે. સને હાથમાં રમાડવો એ અગ્નિની જુવાળાને પકડવા જેટલું અધરું કામ છે. આમાં આપણે પ્રભુ સાથેના વિશુદ્ધ પ્રેમ ટકાવવો કેટલો અધરો છે એ બતાવ્યું છે. પ્રેમમાં આત્માની પરમાત્માને મળવા માટેની તડપ છે. પ્રેમ એટલે પ્રેમ. તારા વચન ઉપરની આસ્થા આરાધક આત્માને જિનપ્રેમી બનાવી પરમાત્મપદ આપે છે. પ્રેમમાં આપવાનું હોય, લેવાનું ના હોય. માટે જ આગળ વધીને વિનંતિ કરે છે કે વિવાહ વખતે મારા હાથ ઉપર આપનો હાથ ભલે ના મૂક્યો, પણ દીક્ષા વખતે મારા માથા ઉપર હાથ મૂકવાની કૃપા કરો. કારણ તમારા તરફનો રાગ પણ મારા જેવી રાગીને નિરાગી બr તારનારો બને છે. અને પ્રભુ જ્યારે દીક્ષા લે છે ત્યારે મહાસતી પણ દીક્ષા લે છે. કારણ નવ ભવના સંબંધનો અંત આણવો હતો. પ્રેમનો પંથ પાવકની જુવાળા જેવો છે, પોતાનું સર્વસ્વ હોમી દેનારો છે. શુરવીર આત્મા જ તે માર્ગે ચાલી શકે. આથી જ આત્મભાવજન્ય પ્રેમ સિદ્ધશિલા સુધી પહોંચવા માટેનો ઉછાળો મારી શકે. પ્રેમના વિષય તરીકે પરમાત્માને પસંદ કરવા, પૂજવા, સ્તવવા, ધ્યાનમાં રાખવા, આ જ આત્મકલ્યાણનો શ્રેષ્ઠ માર્ગ છે.
૨૩. શ્રી પાર્શ્વનાથસવામીનું સ્તવના
“વામાનંદન જિનવર મુનિમાં હે વડો રે કે મુનિ માંહે.” જેમનું નામ ત્રણેય લોકમાં ઉત્તમોત્તમ પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુનું નામ ગવાયેલું છે એવા વામાનંદનને પૂજ્ય મહોપાધ્યાયજી કહે છે કે “શ્રી નયવિજય વિબુધ પય સેવક ઈમ ભણે રે.” તેઓ સર્વ તીર્થકરોમાં શ્રેષ્ઠ છે, જેમ મંત્રોમાં નવકાર, તીર્થોમાં શત્રુંજયગિરિ, રત્નોમાં ચિંતામણી. તેમના ગુણોનું વર્ણન કરવાને તેઓ શક્તિમાન નથી છતાં ભક્તિરૂપે ગુણોનું વર્ણન કરે છે. અનેક ઉપમાઓ વડે તેમનું સ્તવન ગુણોથી ભરેલું છે. કહે છે કે તું અનુપમ છે. દેવોમાં ઈન્દ્ર, પર્વતમાં મેરુ પર્વત, પશુમાં કેસરી સિંહ શોભે છે; વૃક્ષોમાં
યોભારતી D ૨૫૬