________________
(ઉપસંહાર
પરમ પૂજ્ય મહોપાધ્યાય મહારાજસાહેબ રચિત આ ચોવીશીનાં સ્તવનોની સમજ મારા આ છહ્મપણામાં લખી છે. મારાથી તેમનાં સ્તવનોમાં રહેલા ગૂઢાર્થ તો સમજી શકાતા નથી પરંતુ જેમ જેમ આ સ્તવનોના ભાવાર્થો સમાતા ગયા તેમ તેમ દિવ્ય પ્રકાશ થતો ગયો અને તે મુજબ શબ્દોમાં તે બધા વ્યક્ત કર્યા છે. આમાં મારી મતિના કારણે કોઈ વાત શાસ્ત્રની વિરુદ્ધ આવી જતી હોય તો મારી અંતઃકરણપૂર્વક ક્ષમાપના માગી લઉં છું. અને આ સ્તવનોનું જે ગુંજન છે તે મારા માટે કાયમી રહે છે. તેના સાગરમાં હવે હું મહાલવા લાગીશ અને મારા જીવનમાં વધુ ભક્તિભાવ પ્રકટે તેવું શાસન દેવો પ્રત્યે, ગુરુભગવંતો પ્રત્યે, ધર્મ પ્રત્યે અને જિનેશ્વર ભગવંતો પ્રત્યે રોજ પ્રાર્થના કરીશ. મને આ સંસારમાંથી ઉગારો”
શિવમસ્તુ સર્વ જગત''
- પોલીસ સ્તવનો n ૪૯
-