Book Title: Yasho Bharti
Author(s): Kumarpal Desai
Publisher: Chandroday Charitable Religious Trust

View full book text
Previous | Next

Page 267
________________ (જ્ઞાનસાર) શાહ પીયુષકુમાર શાંતિલાલ [પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજય મહારાજસાહેબની ત્રિશતાબ્દી ઉજવણી વર્ષ નિમિત્તે, પૂજ્ય આચાર્ય મહારાજસાહેબ શ્રી વિજયચંદ્રોદય સૂરીશ્વરજી મહારાજસા -- -ની ! પ્રેરકગાથા શ્રી યશોભારતી પ્રવચનમાલા યોજિત જ્ઞાનસભર સ્પર્ધામાં વિજેતા બનેલા નિબંધ.] મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ પ્રણીત ગ્રંથ પ્રસ્તાવના અનંત ઉપકારી, અનંત ગુણોના ભંડારી, અનંત આત્માઓના તારણહાર એવા અરિહંત ભગવંતોએ જ્યારે જ્યારે કેવળજ્ઞાન પામી, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ત્યારે ત્યારે ગણધર ભગવંતોને ત્રિપદી આપી, સમ્યકત્વ જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય ધર્મને પ્રકાશિત કર્યો. આ ત્રિપદીમાં બધા જ જ્ઞાનનો સાર આવે છે. એવા અનેક મહાપુરુષો આપણા શાસનમાં થઈ ગયા છે અને ભવિષ્યમાં થશે. આપણા જે મહાપુરુષો થયા તેમાં હમણાંના નજીકના મહાપુરુષોમાં હેમચંદ્રાચાર્ય, હરિભદ્ર સૂરિ અને ઉપાધ્યાય મહારાજ યશોવિજયજી થયા. તેઓના અનેક ગ્રંથો આજે આપણા જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજસાહેબ આજથી લગભગ ૩૦૦ વર્ષ | પૂર્વે થયા. તે વખતે ભારતની સ્થિતિ કેવા પ્રકારની હતી તે સૌ જાણીએ છીએ. અંગ્રેજ પ્રજાની કપટનીતિ, રજવાડાંઓ સાથે લડાઈ, મોગલ સામ્રાજ્યની પડતીના આવા કપરા કાળમાં જૈન શાસનની ધુરા વહન કરી તેને આપણા સુધી પહોચાડ્યું તેમાં પૂજ્યશ્રીનો ફાળો ઘણો હતો. અનેક ગ્રંથોની રચના કરી. આપણે આજે તેમના દ્વારા થયેલા ગુણોના ઉપકારો યાદ કરીએ તો આપણી આંખમાં જરૂર ઝળઝળિયાં આવી જાય છે, હૃદય ભરાઈ જાય છે. તેમની ઘણી જ નાની ઉંમરની યાદશક્તિ આપણને દાદ આપી જાય છે. મજાકમાં કહેવાતા શ્રાવક પ્રત્યે સીમંધરસ્વામીની ૧૫૦ ગાથાના સ્તવનનો જાણે ખુદ પ્રભુ જ આપણી સમક્ષ હોય તેવો ભાવ દર્શાવ્યો છે. એવા અનેક ગ્રંથો છે જેને સમજતાં આપણી જિંદગી જાય પણ માત્ર બિંદુ જેટલી જ સમજ પડે તો આપણું જીવન સાર્થક થયું ગણાય. હવે આ ગ્રંથનું જે નામ છે તેનો અર્થ વિચારીએ તો “જ્ઞાનસાર', જ્ઞાનનો સાર. ટૂંકમાં, બધું કેવી રીતે કહેવાય તે બતાવી આપ્યું ( પક્ષોભારતી n ૨૫૦ કરી

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302