________________
સતત માળા ચાલે છે તેથી સર્વત્ર અને મંગળમય વાતાવરણ થયેલું દેખાય છે.' સદાય સાચા ભાવથી જિનેશ્વરદેવ, વીતરાગદેવને ભજવા જોઈએ, તે જ મનોરથથી આપણો મહેલ મઢાઈ જશે.
૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવના
“તોરણ આવી રથ ફેરી ગયા રે હાં પશુઆ દેઈ દોષ મેરે વાલમા.”
જે ગિરનાર પર્વત પર આવતી ચોવીશીનાં નિર્વાણ-કલ્યાણ થવાનાં છે, તેવા નેમિનાથપ્રભુનો રથ જ્યારે પાછો ફરે છે ત્યારે પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજસાહેબના હૈયામાંથી આ નાનકડા સ્તવનનું સરવાણી-ઝરણું બહાર | આવ્યું અને તેઓ કહે છે કે ““વાચક યશ કહે પ્રણમીએ રે હો, એ દંપતી હોય સિદ્ધ રે” આ બંને દંપતી સિદ્ધ થયાં હોવાથી આપણે બે હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ કરીએ. હે વાલમ ! તમે જ્યારે તોરણેથી રથ પાછો વાળ્યો ત્યારે ઘડીભર હું દિમૂઢ બની ગઈ હતી, પરંતુ જ્યારે મેં જોયું કે પશુઓ તરફના વાત્સલ્ય મારા આત્મામાં પણ આત્મરંગ ભરી દીધો. અને પ્રથમ ગાથાના ભાવાર્થ પર વિચાર કરીએ છીએ ત્યારે આપણને જરૂર પ્રભુ પ્રત્યે રોષ ચઢી જાય છે કે નવ ભવનો સંબંધ હતો તેનો અંત કેમ આણ્યો કે મારી દયા ના આવી, મારા વિલાપને શું નહિ ગણકારો? પણ પ્રભુ તો દયાના સાગર હતા. પ્રભુ પશુઓના વિલાપ-રુદન જોઈને તેમની વહારે ધાયા. આઘાત અને જીવદયાના પાલન વચ્ચે ઘણું અંતર જોયું અને પશુને બચાવવા માટે જ પ્રભુએ પરણવાનો વિચાર માંડી વાળ્યો. વળી આગળ બીજી ગાથામાં રાજીમતી પૂછે છે કે હૃદયેશ્વર ! જેનાથી રામચંદ્રજી અને સીતાનો વિયોગ થયો તેવા રંગમાં | ભંગ પાડનાર કરંગ-મૃગના વચનથી આપ કેમ પાછા ફર્યા? સીતા અને રામના વિયોગનું કારણ પણ સુવર્ણમૃગ હતું, તેમ આપણા વિયોગનું કારણ પણ મૃગ બન્યું તેની વાત કેમ જાણી ! હરણની વાત કદાચ હું માની લઉં પણ દુનિયા તો નહીં જ માને ! હે સ્વામીનાથ ! આપે મને મનમાંથી ઉતારી દીધી તેનું કારણ એ છે કે અનંત સિદ્ધોએ ભોગવેલી મુક્તિરૂપ વધૂને મેળવવાની આપને ઈચ્છા
( યોનીમ તવનો .