________________
(સેના ભાગી જાય પણ તું મારા મનમાં કેવી રીતે પધારે? મારા વિષય અને | કષાયને દૂર કરું પછી જ પધારેને! અને પછી જ તારા ગુણોની ઘંટડીઓ વાગવા જ માંડેને? તું રત્નદીપક છે તેથી જ તારા તરફ આંતરિક રુચિ જન્મે છે અને તારા તરફ મારી રુચિ વધતી જઈને મારા મોહના, વિષય-કષાયના નાટકને અરુચિકર બનાવે છે. વળી તારા આ રત્નદીપકને નીચે આધારપાત્રની જરૂર નથી. એના પ્રકાશને સૂર્ય પણ ઢાંકી શકતો નથી. આ દીપકનું તેજ સર્વ તેજ કરતાં વધુ તેજોમય છે. આપણામાં પણ કેવળજ્ઞાનનો પ્રકાશ છે પણ તે બંધાયેલો છે માટે તે પ્રકટ કરવામાં તારા ધ્યાનની જરૂર પડે છે. સૂર્યનું ગમે તેટલું તેજ છે પણ તેની પાસે તે કોઈ વિસાતમાં નથી. આ તેજ આદિત્યોથી પણ અધિક પ્રકાશિત છે. સારાસારનો વિવેક જાગે છે, ત્યારે ચૈતન્યનું બહુમાન કરવાની શુભ વૃત્તિ જાગે છે. વળી આ દીપકને પવન પણ સ્પર્શ કરતો નથી કે જેથી ઓલવાઈ જતો નથી. આ રત્નદીપકની કાંતિ સદા એકસરખી રમ્ય રહે છે, તેમ જ છેડા ભાગમાં ગુણથી – વાટથી પાતળો પડતો નથી. આ રત્નદીપકનું તેજ લોકા-લોકમાં ફેલાય છે. દીવાથી દીવો પ્રકટે તેમ તારા સ્મરણથીમનનથી-ચિંતનથી-ધ્યાનથી તે પેટે છે અને બધું પ્રભુમય બનાવી દે છે, પણ દીવાની જ્યોતને જેમ દિવેટ અડાડવાથી બીજો દીવો પેટાય છે તેમ તારા કેવળજ્ઞાન રૂપી રત્નદીપકની જ્યોતમાં જે મારી દિવેટનો સ્પર્શ થાય તો મારા અંતરમાં દીવો પ્રકટી જાય. માટે મારું મન મૈત્યાદિભાવોથી વાસિત કરીશ અને તેમાં બીજા ભાવો નહીં લાવું. પુદ્ગલના ભાવો સંસારમાં રખડાવે છે, જ્યારે તારા નામની ભક્તિથી મારા અંતરમાં દીવડો પ્રકટાવે છે. અહો તારી રિદ્ધિ સિદ્ધિ પણ કેટલી બધી! તું તો પાછો ચક્રવર્તી. છ ખંડના સામ્રાજ્યવાળો ! પણ તારામાં રાદીપક પ્રકટે તો મારામાં કેમ ના પ્રકટે? તું તો ત્રિભુવનપ્રદીપ છે. મારા મનમંદિરમાં તું આવ અને પછી જો કે મારા ભાવો કેવા છે? હું પણ તને મારામાં પ્રવેશતો જોઈને કેટલો આનંદિત કરું છું અને મારામાં આત્માર્થીપણું ખિલાવીશ અને પછી જો તું તારી અને મારી પ્રીત !
ગોવાર
તો તે તે વખતે