________________
મારા ઉપર વરસે તો મારું જીવન સમૃદ્ધ બની જાય, તો જ સારભૂત છે. વળી આ જગના લોકો તો સ્વાર્થી છે. ક્યારેક રીઝે તો ક્યારેક ખીજે. વળી કોઈક વાર હસે તો કોઈક વાર નારાજ થાય. વળી સંસારને સલામ કરનારો, ભોગોમાં રહેનારો, સ્વાર્થીની સેવા કરનારો, ક્યારેય આત્મકલ્યાણ કરતો નથી, જ્યારે મારામાં તો તારી આજ્ઞાને સમર્પિત થવાનું, જીવંત ભક્તિભાવ કેળવવાનું, પ્રભુને રીઝવવાનું સામર્થ્ય છે. લોક-રીઝ અને લોકોત્તર રીઝ આ બન્ને વાત જુદી છે, માટે જ ભરત-ચક્ર મૂંઝાયા કે મારે કોને રીઝવવાં? પૂજ્ય માત કે ચક્રરત્ન? પરંતુ જ્યારે મનમાં સદ્ભાવ પ્રગટ થયો કે કેવળજ્ઞાન રૂપી રત્ન એ જ પહેલું પૂજનીય છે. આને લીધે કેવળજ્ઞાન મળે છે. જ્યારે ચક્રના લીધે છ ખંડનું સામ્રાજ્ય મળે છે. માટે ભરતે પણ લોકરીઝનો ત્યાગ કરી લોકોત્તર એવા પ્રભુની ભક્તિ કરી. મોટા રીઝે તો તેમાં બીજાં બધાં રિઝાઈ જાય છે, માટે હું તો તને જ રીઝવવા પ્રયાસ કરીશ. એક સાંઈને – પરમાત્માને રીઝવવા માટે હું તારી આજ્ઞાને જ સમર્પિત થઈશ. આજ્ઞાપાલનની આત્મામાં સ્થાપના થાય છે એટલે પરમાત્માની કૃપા વરસે છે અને તેથી હું તારા જેવો બની જઈશ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. લોકલાગણીને ત્યાગ કરનારા અને પ્રભુની આજ્ઞનો આદર કરનારો એવો હું અને સઘળા મુક્તિસુખ મેળવે છે.
૨૦. શ્રી મુનિસુવતરવામીનું સ્તવન,
મુનિસુવ્રતજિન વંદના, અતિ ઉલ્લસિત તન-મન થાય રે....
હે પરમાત્મા મુનિસુવ્રતસ્વામી! તને વંદન કરતાં મારું તન-મન અતિ આનંદિત થાય છે એમ “વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે.” તારા ગુણો ઘણા છે. પ્રભુ ઉપર સાચો પ્રેમ હોય તો મનમાં તે બધા જરૂર જાણી શકાય છે અને અનુભવી શકાય છે. આથી જ તો અનુભવજ્ઞાનને શ્રેષ્ઠ જ્ઞાન કહ્યું છે. અનુભવજ્ઞાન ઉપસર્ગો વચ્ચે પણ સાધકને આત્માના પક્ષે રાખે છે. આથી જ | તારાં દર્શનકરતાં મારાં ભવોભવનાં દુઃખ દૂર થાય છે. તું તો સુખનો કંદ છે, પરમ આનંદસ્વરૂપ છે અને ગુરુપદે શોભી રહ્યો છે. તારા અનુપમ વદનને જોઈને મારા કર્મો દૂર થાય છે, પરમ દર્શનીય તારું મુખકમળ છે. એ સમતા
યશોભારતી D રજત