________________
(પ્રયોગ કર્યો છે. આવી જ રીતે લોક્નચલિત કહેવતોનો પ્રયોગ કષ્યને પ્રસ્તુત કરવામાં વધુ ઉપયોગી થયેલ છે. તે વીર-નીરનો પ્રયોગ કરે છે. માળને અંધકૂપ માને છે. લૂંટાલૂંટ જેવા શબ્દોને પ્રયોજે છે. છીપલામાં ચાંદીનો ભ્રમ, ચામીકરનો ન્યાય, ઈયળનું ભમરીમાં રૂપપરિવર્તન, પાણીના બળદની જેમ જોતરાવું, દોરડામાં સાપનો ભ્રમ જેવા દાખલાઓ આપીને પોતાના ઉપદેશને. વધુ સુગમતાથી સમજાવે છે. તેઓ મોહની લગામ કે મનના જાળ જેવાં રૂપકો દ્વારા વાતને વધુ સ્પષ્ટ કરે છે.
યશોવિજયજીની આ કૃતિ “સમાધિશતક જ નહીં, અન્ય કૃતિઓને વાંચ્યા પછી તેવો જ અધ્યાત્માનંદ મળે છે, જે કબીર કે દયારામની રચનામાં મળે છે.
છંદની દષ્ટિએ દુહા-છંદ) ક્યાંક અલન છે, પણ અધ્યાત્મની ઘારામાં ક્યાંય અંતરાય બનતા નથી. ,