________________
(મનમાં સમાઈ શકતો નથી, પરંતુ હું નાનો છું પણ મારા હૃદયમાં તને સ્થાપી શકું છું. તું મને યાદ ના કરે તો ચાલે પણ હું નિરંતર તને જ યાદ કરીશ. પણ તારા હૃદયમાં હું સમાઈ જઉં એ જ મહાન વસ્તુ છે. તેને જ શાબાશી આપવી ઘટે. પ્રભુ મોટો છે, જ્યારે હું નાનો છું. છતાં તેને હું મારા હૃદયમાં સમાવી શકું છું. જ્યારે પ્રભુના મનમાં હું સમાઈ નથી શકતો એ નવાઈ જેવું છે. પણ તું તો જાણે છે કે મારા મનનો પ્રત્યેક અણુ આપની ભક્તિથી ઓતપ્રોત છે. મારા આ મનરૂપી હોડીનો તું સુકાની છે તો પછી તને આશ્ચર્ય કેમ થયું? મારામાં તો ભક્તિનો મહાસાગર ઊમટેલો છે. તને હૃદયમાં ધારણ કરીને હું મહાસાગર તરી જઈશ. મારામાં જે ભક્તિનો ભવસાગર ઊમટેલો છે, તેમાં પ્રભાવ તારો જ છે, કારણ તું જ મારો સુકાની છે. હે પ્રભુ સ્થિરમાં અસ્થિર સ્થાન ના જ પામે. જેમ મોટો હાથી દર્પણમાં આવી શકે તેમ તારામાં હું સમાઈ જઉં છું એવી મારી સમજ છે. મારી ભક્તિનાં મૂળ તો ઘણાં ઊંડે સુધી ગયેલાં છે તેથી કયું ગુણરત્ન ઝળહળી ઊઠે તે ના કહી શકાય. પોતે અસ્થિર હોવાથી ચંચળતાને પ્રગટ કરી છે, જ્યારે પ્રભુ સ્થિર હોવાથી અયોગી કેવળીપણું દર્શાવ્યું છે. તું સ્થિર છે, સ્વરૂપસ્થ છે, જ્યારે હું અસ્થિર છું. સ્વ-સ્થાનથી પણ દર્પણના દાખલા દ્વારા બતાવ્યું કે હાથી તેમાં દર્શન કરી શકે છે, તેમ હું પણ તારાં દર્શન કરી શકું છું. મન-વચન અને કાયાના યોગોને સ્થિર કરીને આત્મા પરમાત્માનું ધ્યાન કરે છે. વળી છંદ સ્કંદ પુરાણમાં કહ્યું છે કે મૂળ ઊંચું અને શાખા નીચી, પરંતુ આશ્ચર્યવાળાએ આ વાતનું આશ્ચર્ય કર્યું છે. અહીં તો પ્રભુની ભક્તિથી સેવકનું કાર્ય સિદ્ધ થયું છે, કારણ તું મહાન છે અને મને તારામાં સમાવી લીધો | છે. આવા પ્રભુની ભક્તિ જ સમ્યક પ્રકારે કરવાથી આ દાસનું કાર્ય સિદ્ધ થયું છે. ગમે તેટલો મોટો ઈલ્કાબ મોક્ષની ટિકિટ નથી પણ રત્નત્રયીની આરાધના એ જ મોક્ષમાર્ગની ટિકિટ છે. છેલ્લે બાળકની ભાષામાં વાત કરીને કહ્યું કે તું મારી વાત તો જાણે છે કે મારે શું જોઈએ છે. સમ્યક્ત્વ-દર્શન, જ્ઞાન-ચારિત્ર્યની આરાધના.
૧૦. શ્રીશીતલનાથવામીનું સ્તવન “શ્રી શીતલ જિન ભેટી એ, કરી ભક્ત ચોખુ ચિત્ત હો”...
અનંત ઉપકારી એવા પરમાત્માના દર્શનની એટલી તાલાવેલી લાગેલી છે કે હવે કહે છે કે “વાચક યશ કહે ઢલની એ ન ગમે મુજ મન ટેવ હો.”
ગોલીસ જવાનો રહો