________________
નથી, પરંતુ જેવું વાસણ તેવો આકાર ધારણ કરે છે તેમ પરમાત્મા કોઈ) પ્રકારના રાગ વડે બંધાયેલ ન હોવાથી જીવો પાત્ર અનુસાર પ્રભુને મનમાં ધારણ કરે છે. વળી મને પસ્તાવો પણ ખૂબ થાય છે, મારું ચિત્ત સ-રાગી જોડે છે. અને અગાઉ કેળવ્યું પણ નહિ. આ વાતથી મારો દાસ અજાણ છે માટે આપ | મારો નિભાવ કરો, મને રાખો - રાગીને દેવ માનીને ભજવા એ મારી ભયંકર ભૂલ - દોષ છે. મારો પસ્તાવો તમારી સમક્ષ દર્શાવું છું. સંસારનો રાગ મહારોગ છે. એને નિવારવા તમારી પાસે આવીને નિરોગિતા પ્રાપ્ત કરવાનો આશય રાખું છું. ભવ ભ્રમણરૂપી રોગમાંથી હું મુક્ત થઈશ. વળી છેલ્લે તેઓ રાગી એવા જીવવાળા, વીતરાગી એવા પરમાત્મા સાથે એકરૂપ ન થઈ શકે. પણ હું તો વીતરાગ પરમાત્માને મળવાનો જ. જડનો રાગ ભયંકર છે. એટલો જ ભયંકર જીવને શિવ બનાવનાર વીતરાગતા પ્રત્યેનો રાગ છે. ભગવાન પણ ભક્તને અધીન છે. જે તેની ભક્તિ સો ટચના સોના જેવી હોય તો તેથી જ પૂ. ઉપાધ્યાયજી તે ગાય છે કે, “પ્રભુ હું તમને મળવાનો જ.”
૧૨. શ્રીવાસુપૂજ્યસવામીનું સ્તવન,
સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિતડું હમારું ચોરી લીધું....'
જે પરમાત્માના પાંચેય કલ્યાણકો ચંપાપુરી નગરીમાં થયા છે તેવા આ પરમાત્મા પ્રભુના ગુણ ગાતાં પૂજ્યશ્રી એમ કહે છે કે “ક્ષીર-નીર પર તુમશું મળશું. વાચક યશ કહે હેજે હળશું સાહેબ.'' તારા અને મારા વચ્ચેનો જે ભેદ છે તે દૂર કરીશું અને દૂધ અને પાણીની એકરૂપતા થઈ જાય તેમ આપણે એકરૂપ થઈ જઈશું. તું તો કેટલો મીઠડો છે, કામણગારો છે, મારું મન ચોરી લીધું છે. તું કામણગારો છે, પરંતુ હવે હું પણ કામણ કરીશ, મારી ભક્તિ વડે તારું ચિતડું આનંદથી પુલકિત કરીશ. મારા હૃદયમંદિરમાં બિરાજમાન કરીશ. તારા પરાર્થ રસિકતાના ગુણોમાં તું અજોડ છે. તારી બરોબર કરી શકે તેવું કોઈ જ નથી. જેમ નિર્મળ જલમાં ફેલાઈ જતા તેલના બિંદુની જેમ પ્રભુના ગુણો પ્રભુ - ભક્તના મનમાં ફેલાઈ જઈને કબજો લે છે. હું પણ ભક્તિના કામણ વડે આપને વશ કરી મારા મનમંદિરમાં બિરાજમાન કરીશ. તારી પાસે ગુણનું
યશોભારતી d ૨૩ર છે