________________
અંદરનાં કર્મોનો મેલ સાફ થાય છે, મારો ભમ્ર ભાગી જાય છે અને તેથી તમારી સાથે લીન બનીને મન ખોલીને વાતો કરે છું. ભોળા મનના સરળ હૃદયવાળા આત્મા બધી જ વાતો પ્રભુજનને જણાવી દે છે. માટે હે જિનેશ્વરદેવ, તમે જ તારનારા છો. આપ મારા ઉપયોગમાં આવ્યા છો, તે પ્રભાવ પણ ભાવદયાનો છે. આપનું દર્શન થયું અને તેથી મારું મન આપનામાં સમાઈ જવાં તલસે છે. મારો આ તલસાટ, વલવલાટ હવે જલદી પૂરો કરો. હું તમારામાં સમાઈ જવા માગું છું. વળી કોઈ અન્ય વ્યક્તિ કરોડો ઉપાયથી કપટ ક્રિયા કરાવે તોપણ હું તારા વિના ના કરું. જડના આવિષ્કારમાં હવે હું નહીં રાચું. મારા આત્મામાં
જ્યારે દોષ લાગે ત્યારે એટલું દુઃખ થાય છે કે જેટલું દુઃખ મારા દેહની પીડા દ્વારા | થતું હોય છે. આ મનુષ્યભવમાં એક જ વસ્તુ કરવા જેવી છે-જે સમય અને | શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ છે, માટે જ હું તમારા ચરણકમળનો પ્રેમી છું.
૧૪. શ્રીઅનંતનાથવામીનું સ્તવન
શ્રી અનંત જિન શું કરો સાહેલડિયો........... તમારા ચરણની સેવા કરતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી એમ જણાવે છે કે “વાચક યશ કહે પ્રભુ ગુણે, સાહેલડિયો, તિમ મુજ પ્રેમ પ્રસંગ રે.” | સાગરમાં પાણીનું ટીપું મળી જાય તેમ હું મારી સ્થિતિ અક્ષય અને અભંગ કરવા માટે તમારા ગુણોમાં મને પ્રીતિ ઊપજે છે તેવી મારા પ્રેમની સ્થિતિ છે, કારણ મારો અને તમારો સંબંધ મજીઠના રાતાચોળ રંગ જેવો પાકા પ્રેમનો સંબંધ છે. | ધર્મનો રંગ તે સાચો રંગ છે અને બીજા બધા રંગ તે પતંગના રંગ જેવા કાચા રંગ છે, જે જલદીથી જતા રહે છે. મજીઠના રંગમાં જે વસ્ત્ર રંગાયું હોય તે વસ્ત્ર બળી જાય પણ તેનો રંગ જેમ તેની રાખમાં ઊતરે છે, તેમ પ્રભુ સાથે મારે પણ | આવો જ પ્રેમ કરવાનો છે. મારો દેહ જીર્ણ થશે પણ દેહી એવા આત્માના
સ્વભાવભૂત ઘર્મનો રંગ જીર્ણ થતો નથી. સોના-ચાંદીના ઘાટ બદલાય છે, પરંતુ તેનો નાશ થતો નથી તેમ દેહ અને આત્મા એ જ રીતે છે. દેહ નાશ પામે પણ આત્મા અવિનાશી તત્ત્વ છે. આત્મા ઉપર ચડેલો તમારો ભક્તિરૂપી રંગ જેમ તાંબું સુવર્ણ બની ગયા પછી સુવર્ણ તાંબું થતું નથી તેમ મારો આત્મા વિશુદ્ધ
મોનીર સ્તવનો ૨૩પ ક