________________
થયા પછી ફરી અશુદ્ધ થતો નથી. વળી ઉત્તમ પુરુષના ગુણ ઉપર પ્રીતિ) રાખવાથી ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરી શકીએ છીએ અને મારો મહિમા વધવાથી જે સ્થાન પ્રાપ્ત થાય છે તે ઉત્તમ રીતે દિપે છે. તમારામાં મળી ગયેલું મારા આત્માનું બિંદુ અક્ષય અને અનંત બને છે. સાગરમાં પડેલા પાણીના બિંદુની જેમ મારું સ્થાન પણ તારી સાથે એકરૂપ બની જશે. તારી જે આજ્ઞા છે તે પ્રમાણે હું બધા જીવોને સ્વતુલ્ય એટલે પોતાના જેવા માનીશ, મારા આત્માને તમારા આત્મા જેવો પરમાત્મા માનીશ અને પરમાત્મભાવનું આંજણ કરીશ. ભક્તિનો માર્ગ તલવારની ધાર કરતાં પણ તીક્ષ્ણ છે, છતાં પણ હું નમ્ર બનીને તમારી ભક્તિ કરીશ. મારામાં રહેલું હુંપદ દૂર કરીશ અને તમારા રાગનો અનન્ય ભક્ત બનીશ.
૧૫. શ્રીધર્મનાથરવામીનું સ્તવન
થાસુ પ્રેમ બન્યો છે રાજ, નિર્વહશો તો લેખ”...... પૂજ્યશ્રી કહે છે કે વાચક “યશ કહે ધર્મ જિનેશ્વરા થાસું, દિલ માન્યા છે મેરા :” મારું મન તમારામાં છે. મારા દિલે હૃદયે તમને હૃદયેશ્વર તરીકે સ્વીકારી લીધો છે. હે પ્રભુ! જગતમાં દૈવતવાળા દેવો અનેક છે, પરંતુ દેવાધિ દેવત્વ જે આપમાં છે તે બીજા દેવોમાં નથી, માટે હું તમારી ચરણસેવા કરવા માગું છું. આપની સાથે જે પ્રીત થઈ છે તે પ્રીતને નિભાવશો તે સફળ થશે. હું તો રાગી છું જ્યારે તમે તો નિરાગી છો, તેથી આ અયોગ્ય ઘટનાથી લોકોમાં હાંસી થાય છે, પરંતુ મારો તમારી સાથેનો એકતરફી પ્રેમ રાખવામાં મારી ધન્યતા છે. મારે તમારું આલંબન લેવું જોઈએ. તમે વીતરાગ છો એટલે શું થઈ ગયું? મારા તો હૃદયેશ્વર છો. આપના નામના સ્મરણથી મારા હૃદયને શાતા મળે છે. તમે નિરાગી છો, માટે તમારી સેવાથી મને શું મળે? એવું મારા હૃદયમાં કે મનમાં હું રાખતો જ નથી. રત્ન જે ચેતનારહિત હોય છે પણ સુરગણી જેમ ફળ આપે છે તેમ તમારી ભક્તિ કરવાથી મને જરૂર ફળ મળશે. સાચી ભક્તિ જ મુક્તિનું બીજ છે. મારે તમારામાં સો ટકાની શ્રદ્ધા રાખીને
પણભરતી D ૨૩૬