________________
(લીટીને પ્રથમ યાદ કરીશ. હું યથાશક્તિ મારા આત્માના પ્રદેશોમાં તેમના શબ્દોનો આનંદ લૂંટતો રહીશ, પૂર્ણ બનીશ.
૧. ઋષભદેવપ્રભુનું સ્તવન
જગજીવન જગ વાલ હો’
આ સ્તવનમાં વાચક યશવિજય કહે છે કે જો સુખનો પોષ લાલ રે.” ઋષભદેવ પ્રભુનાં દર્શન કરીને આત્મા ધન્ય બન્યો છે, મારો આત્મા | ગુણવાન, સમૃદ્ધિવાન બન્યો. આત્મિક સુખ પ્રભુ બે હાથે છાબડે છાબડાં ભરીને | દો. પ્રભુ ! તેં તો તારા દોષોને આત્માથી અળગા કીધા અને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણોને પ્રકટ કર્યા છે. તું મને પણ તારા આ અનંત સમૃદ્ધ એવા સુખના સાગરમાં નહાવા દે. શા માટે મને દૂર રાખે છે? તું તો જગનો વહાલો છે, મારો પણ વહાલો છે. કારણ, તું મરુદેવી માતાનો લાલ છે. લાલ તો મરુદેવી માતાનો છે પરંતુ તું તો મારો નાથ છે. તારું મુખદર્શન કરીને સુખ ઊપજે છે. મારી આ ચર્મચક્ષુથી તારા આત્માનાં દર્શન શું થાય? માટે મને દિવ્ય દર્શન આપવા માટે મારા આત્માનાં અંતરદ્વાર ખોલીને તેમાં તું પ્રવેશ કર અને પછી જો તારી સાથે કેવો એકાકાર થઈ જાઉં છું ! તારા મુખનાં દર્શન કર્યા પછી મારા આત્માનાં અંતરચક્ષુ ખૂલી ગયાં. એ મુખદર્શનમાં તારાં નયન કેવાં દિવ્ય તેજથી શોભી રહ્યાં છે ! કેવાં નિર્વિકારી છે! એણે મારાં વિકારી નયનોમાંથી ક્યારનોય વિકારને દૂર કરી દીધો. તારાં નયન કમળની પાંખડી જેવાં છે. જે છે રાતાં છે. તારાં નયનોમાંથી ઝળહળતા દિવ્ય તેજને ઝીલીને હું પરમ આનંદ પામું છું. તારાં નયનોનાં દર્શન પછી દિવ્ય આનંદ પામેલા મારા આત્માની નજર તારા લલાટ ઉપર જાય છે ત્યારે તું મને સિદ્ધશિલા ઉપર બિરાજમાન પ્રભુ જ દેખાય છે, કારણ અષ્ટમીનો ચંદ્ર કે જેનો આકાર અર્ધ વર્તુળાકાર જેવો છે તેવું તારું લલાટ છે. તેનાં દર્શન કરી રહયો છું. તારું વદન શરદ ઋતુની પૂર્ણિમાના ચંદ્ર જેવું છે. તું તો આખો જ ભવ્ય છે. તારા વદનની ક્રાંતિ કેટલી છે ! તેવા તેજપુંજમાં હું પણ તેજોમય બની ગયો છું. તારા મુખમાંથી ઝરતી
[ પહોભારતી D રાક