Book Title: Yasho Bharti
Author(s): Kumarpal Desai
Publisher: Chandroday Charitable Religious Trust

View full book text
Previous | Next

Page 225
________________ ૧૬ ફલાફલ વિષયક પ્રશ્નપત્ર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયગણિના સ્વહસ્ત લિખિત તાપ તપૃષ્ઠી વિષયક એક પ્રશ્નપત્રક છે. આ પત્ર, ભાવનગરનિવાસી સાહિત્યરસિક શેઠશ્રી પ્રેમચંદ રતનજી વીરજીના ગૃહપુસ્તકાલયમાં છે. પ્રથમ તો આ પત્રક પૃચ્છાવિષયક હોવાથી એ વિષયના જ્ઞાતાઓની દષ્ટિએ આમેય અપૂર્વ છે, અને વળી તેમાં શ્રીમદ્ યશોવિજયજી જેવા મહાપુરુષના સ્વહસ્તાક્ષરે લખાયેલ હોવાથી તેનું મહત્ત્વ ઘણું વધુ કહી શકાય. આ પ્રશ્નપત્રકમાં ૪ ચક્ર બનાવેલાં છે અને તે દરેકમાં 5-5 કોષ્ટક મૂકેલાં છે. બધા મળીને ૨૪ કોષ્ટક થાય છે અને તે ૨૪ તીર્થંકરના નામથી અંકિત છે. દરેક તીર્થંકરના નામ ઉપ૨ ૬-૬ પ્રશ્ન ગોઠવ્યા છે. પ્રશ્ન કેમ કાઢવા અને તેનું ફળાફળ કેમ જાણવું એ સ્વયં લેખક મહાપુરુષે પોતાની ભાષામાં પોતાના હાથે જ લખી રાખેલું છે. જિજ્ઞાસુ પુરુષ આમાંથી પોતાને ઇષ્ટ જ્ઞાન, જરાક ઊંડાણથી મનન કરશે તો તે પોતાની મેળે જ મેળવી શકે તેમ છે તેથી આ વિષે વધારે સ્ફોટ કરવાનું અમે ઇષ્ટ ગણ્યું નથી. અહીં એ સમગ્ર પત્રનું ઉદ્ધરણ આપીએ છીએ – ॥ ॐ ह्रौं श्री अर्ह नमः ॥ एणि मंत्रई वार २१ स्थापना षडी अथवा पूगीफल अभिमंत्री मूकावीइ । जेह बोलनी पृच्छा करई तेह छकु जिहां थापना मूकइ तेहना तीर्थंकरनी फाटिं । पृछाना बोल गणतां जे तीर्थकरनई फाटिं मूंकइ । तेहनी ते ओली गणवी । पंडित श्री नयविजयगणिशिष्य गणि जसविजय लिखितं ॥ छ ॥ શોભારતી ૩ ૨૦૮

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302