________________
માયા કારમી છે, આકરી છે, માટે હે ચતુર સુજાણ, માયાને વશ તું ન થા. માયાને આધીન થયેલો સંસારમાં આસક્ત થાય છે અને તેથી તે અજ્ઞાની દુઃખી થાય છે. જે જીવ માયામાં મોહી રહ્યો છે, માયામાં મૂંઝાઈ રહ્યો છે તેને સ્વપ્રમાં પણ સુખનું સ્થાન નથી. નાના કે મોટા દરેક માણસને માયા વળગી છે. કહેવાય છે કે સ્ત્રીઓને વધારે માયા હોય છે તેના કરતાં પણ વૃદ્ધ માણસને વધારે માયા હોય છે.
જીવનમાં સમતા ગુમાવનારને શું ગુમાવવું પડે છે તેનું સરસ ઉદાહરણ આપતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે:
બાહ્ય ક્રિયા કરે કપટ કેલવે, ફિરકે મહંત કહાવે, પક્ષપાત ક્બહુ નહિ છોડે, ઉનક કમતિ બોલાવે, જિન જોગીને ક્રોધ કિહાંતે, ઉનકું સુગુરુ બતાવે, નામધારક ભિન્ન ભિન્ન બતાવે, ઉપશમ પિનુ દુઃખ પાવે, જબ લગે સમતા શણું ન આવે.”
બાહ્ય ક્રિયાઓ કરે, હૃદયમાં કપટ કેળવે, ફરી ફરીને પોતાને “મહંત' કહેવરાવે, કોઈ રીતે પક્ષપાત છોડે નહિ એવા જીવને દુર્ગતિ બોલાવે છે અર્થાત એ જીવ દુર્ગતિમાં જાય છે. જે યોગી હોય તેને ક્રોધ ક્યાંથી હોય? ન હોય. જેનામાં ક્રોધ ન હોય તેને સુગુરુ કહેવાય. બાકી તો જુદા જુદા નામધારી યોગી કહેવાય. તેઓ ઉપશમ વિના, સમતા વિના ઘણું દુઃખ પામે છે. જ્યાં સુધી સમતાની ક્ષણ ન આવે, સમતાનો વખત ન આવે તેમ જ જ્યાં સુધી હૃદયમાં ક્રોધ વ્યાપી રહ્યો હોય ત્યાં સુધી યોગ-સંયમયોગ શોભતો નથી, દીપતો નથી.
આત્માને ચેતવણી આપતાં ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે – કેમ દેત કર્મનકું દોસ? મન નિહવે વેહે આપુકા, પ્રહે રાગ અરુ દોષ, વિષયકે રસ આપ ભૂલો, પાપ તો તન છોસ,