________________
‘દૃષ્ટિરાગે નવિ લાગીએ, વલી જાગીએ ચિત્તે, માગીએ શીખ જ્ઞાની તણી, હઠ ભાંગીએ નિતે, જે છતાં દોષ દેખે નહિ,
જિહાં જિહાં અતિરાગી, દોષ અછતાં પણ દાખવે, જિહાંથી રુચિ ભાગી.’
હે આત્મા ! અસદભિનિવેશરૂપ દૃષ્ટિરાગમાં વળગવું નહિ. હંમેશાં ચિત્તથી જાગૃત રહેવું. જ્ઞાની પાસે શિખામણ માંગવી અને હંમેશાં પોતાની હઠ ઓટી પક્કડ દૂર કરવી. દૃષ્ટિરાગ કેવો હોય તે કહે છે. જ્યાં જ્યાં અતિરાગવાળો હોય છે ત્યાં ત્યાં તે વ્યક્તિના વિદ્યમાન દોષોને દષ્ટિરાગી જીવ જોઈ શકતો નથી અને જેની ઉપરથી રુચિ-પ્રીતિ ભાગી ગઈ છે, જેની ઉપર પ્રેમ નથી તેના અછતા દોષો બતાવે છે. તેનામાં દોષ ન હોય તોપણ તેને દોષવાળા કહે છે.
‘જ્ઞાનઃ ક્રિયાભ્યામ્ મોક્ષઃ'ની વાત હૈયે જે ઉતારતો નથી તે જીવ સંસારને તરી શકતો નથી. ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાન અને ક્રિયા બંને પર ભાર મૂકતાં જણાવે છે કે
જૈસે ગજ અપને સિર ઉપર ધૂર અપની ડારે, જ્ઞાનગ્રહન ક્રિયા તિઉં છારત, અલ્પ બુદ્ધિ ફલ હારે, શાન ક્રિયા દોઉ શુદ્ધ ધરે જો,
શુદ્ધ કહે નિરધારી,
જસ પ્રતાપ ગુન-નિધિકી જાઉં, ઉનકી મેં બલિહારી.’
જેવી રીતે હાથી સ્નાન કર્યા પછી સરોવરમાંથી નીકળી પોતાના મસ્તક ઉપર ધૂળ નાંખે છે, તેવી રીતે ફક્ત જ્ઞાનને ગ્રહણ કરી ક્રિયા ઢાંકે છે, કરતો નથી તે અલ્પબુદ્ધિવાળો જીવ મોક્ષરૂપી ફળને હારી જાય છે. જેના પ્રતાપે જેઓ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયાને ધારણ કરે છે અને તેનો નિર્ધાર કરી, નિશ્ચય કરી
યોભારી ૩ ૨૦૨