________________
પ્રકાશ પાડે છે જ્યાં અજ્ઞાની જીવ અગ્રાહ્ય સંસાર)ને ગ્રાહ્ય માની તેને જ ચિટકી રહે છે. અને ગ્રાહ્ય (આત્મા)ને ભૂલી રહ્યો છે, જ્યારે સમાધિસ્થ જીવ સ્વપરના નિર્ણયની શક્તિવાળો હોવાથી ગ્રાહ્ય-અગ્રાહ્યના ભેદને સમજે છે. અજ્ઞાની જીવની સ્થિતિ એવી અનભિજ્ઞ વ્યક્તિ જેવી હોય છે, જે છીપલાંની ચમકમાં ચાંદીની ચમકના ભ્રમથી ભ્રમિત થઈ તેને ચાંદી માની લે છે. આ રીતે તે આ દેહને જ સર્વસ્વ સમજી બેઠો છે, પણ, જ્ઞાન-દષ્ટિ પ્રાપ્ત થતાં જ છીપલામાં ચાંદીનો ભ્રમ દૂર થઈ જાય છે. અને દેહ આત્મા છે આવો ભ્રમ પણ દૂર થઈ જાય છે. આ રીતે સત્યને સત્યસ્વરૂપે જોવાની દષ્ટિ પ્રાપ્ત થાય છે. આમ કહી શકાય કે સંશયનાં વાદળ વિખેરાતાં જ સત્યરૂપી સૂર્યનાં દર્શન થવા લાગે છે.
જ્ઞાનના પ્રકાશ વગર પણ આપણે જાગતા પણ સૂતેલા છીએ. જ્ઞાન એ જ વ્યક્તિ છે, જે મન-વચન અને ક્રિયામાં સમભાવી હોય. જે વ્યાવહારિક ક્રિયાઓ કરતાં કરતાં પણ નિશ્ચય એટલે કે આત્મામાં સ્થિત થઈ જાય. અહીં કવિ વ્યવહારમાં રહીને પણ નિશ્ચયને જ સાધ્ય માને છે. જ્ઞાની સાધક, જે આત્મરમણ કરે છે તેની દ્રષ્ટિમાં સંસાર પ્રત્યે કોઈ મોહ કે સંબંધ હોતા નથી. ભૌતિક જગતથી ઉપર તેને માટે આ સંસાર માત્ર ઉન્મત્ત બનાવનાર અને દષ્ટિહીન છે.
અહીં ઉન્મત્તતા અને સંધત્વ ભોગ-વિલાસ અને ભેદ-વિજ્ઞાનની દષ્ટિએ અભાવના પ્રતીક છે. સાધક જે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે, તે વ્યાવહારિક દષ્ટિએ છે, પણ જ્યારે તે નિર્વિકલ્પ આત્મભાવમાં પ્રવેશ કરે છે, ત્યારે કોઈ પણ દ્વિધાભાવ તેને ગમતા નથી, એટલે કે તે વિકલ્પોથી મુક્ત બને છે.
આચાર્ય કહે છે કે આ રીતે આત્મલીન સાધક બહિરાત્માને ત્યજીને અત્તરાત્મામાં પ્રવેશ કરે છે અને પરમાત્માના ધ્યાનમાં પોતાને ધ્યાનસ્થ કરે છે જ્યાં કોઈ વિકલ્પ હોતા નથી. પરમાત્માનું આ સાન્નિધ્ય નિર્વિકલ્પ અને નિર્ભર બનાવી દે છે. ભગવાનના ધ્યાનમાં એકચિત્ત થવા માટે ભારપૂર્વક આચાર્ય કહે છે જે વ્યક્તિ પરમાત્મ-પદની પ્રાપ્તિ માટે પોતાના આત્મામાં જેટલી દઢ ઈચ્છા અર્થાત્ ચિત્તની એકાગ્રતા રાખે છે તેને તેટલી જ ઝડપથી મુક્તિ મળે છે. આવા સાધકની તુલના કવિ,એવી ઈયળની સાથે કરે છે જે એક જ ગતિ અને એકનિષ્ઠ ધ્યાનને લીધે ભ્રમરી બની જાય છે.
દેહ અને આત્મા બન્ને ભિન્ન છે. આવા ભેદ-વિજ્ઞાનને જે જાણી લે છે તે
સમાષિપાત કી ૧૮૦