________________
નયવિજયજી મહારાજને આપે છે.
“શ્રી નયવિજય ગુરૂતણો નામ પરમ છે મંત
તેહની પણ સાંનિધિ કરી, કહીશું એ વિરતંત.” આ રીતે શ્રી જબૂસ્વામી રાસના મંગલાચરણમાં ગુરુનામને મંત્રાલર કહે છે, તો ગુરુતત્ત્વ વિનિશ્ચય નામના ગ્રન્થના મંગલાચરણમાં તો -
"अम्हारिसा वि मुक्खा, पंतीए पंडिआण पविसंति ।
अण्णं गुरभत्तिए, किं विलसिअमब्भुआं इतो ॥" જેના પ્રભાવે અમારા જેવા મૂર્ખ માણસો પણ પંડિતની શ્રેણિમાં ગણાય છે તેવી ગુરુભક્તિનું આનાથી બીજું કયું આશ્ચર્યકારી ઉદાહરણ હોઈ શકે? એટલું જ નહીં પણ યાકિનીપુત્ર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” જેવા ગ્રન્થ ઉપર “સદ્ધાદ કલ્પલતા' નામની અનેક દાર્શનિક ચર્ચાની ખાણ જેવી વૃત્તિ લખતાં તેવી દુર્બોધવૃત્તિની સફળતામાં પણ આ જ ગુરુમહારાજને તેઓ સ્મરે છેઃ
अभिप्रायः सूरेरिह हि गहनो दर्शनततिनिरस्या दुर्धर्षा निजमत समाधान विधिना । तथाप्यना :
श्रीमन्नयविजयविज्ञाहियुगले, अखण्डा चेद भक्ति न नियतमसाध्यं किमपि ते ॥
આવા ગુરુ તો કોક વિરલ શિષ્યને જ સાંપડે અને આવા શિષ્ય પણ કોક જ ગુરુને મળે. ગ્રન્થની રચના શ્રી યશોવિજયજી કરે અને એ કાચા ખરડા તરફ કોપી) ઉપરથી પ્રથમાદર્શ (ફરકોપી) ગુરુમહારાજ તૈયાર કરી આપે. આવું તો
ક્યાં જોવા મળે? વિ.સં. ૧૭૧૧માં સિદ્ધપુરમાં દ્રવ્યગુણપર્યાયના રાસની રચના શ્રી યશોવિજયે મહારાજે કરી છે. અને તેની પહેલી સ્વચ૭ નકલ શ્રી નયવિજય મહારાજે એ જ વર્ષમાં લખી છે.
તેમના જીવનની આગળ-પાછળ દંતકથાના દોરા વીંટળાયેલા છે. પણ તેનું ઝાઝું મહત્ત્વ નથી. દરેક મહાપુરુષના જીવન માટે આવું બને જ છે. તેમને દુર્જનોનો ત્રાસ ખૂબ સહેવો પડ્યો હતો. સત્ય બોલનારને સહન કરવું પડે છે. તેઓ તો “મૃષાવાદ ભવતારણ માની મારગ શુદ્ધ પ્રરૂપે” અને એવું કરતાં જે વેઠવું પડેતે વેડ્યું, પણ સાચી વાત કહેતાં તેઓ અચકાયાકેખચકાયાનથી.
શ્રી સિંહરિજી મહારાજે તેમને સંવિગ્નમાર્ગની હિતશિક્ષા આપી હતી, તેથી તેમને તેઓ ખૂબ બહુમાનપૂર્વક સંભારે છેઃ