________________
(૧૦) ઉપસંપદ્ લક્ષણ : જેમની નિશ્રામાં જવાનું હોય તેમને અધીન જ્ઞાનાદિનું ગ્રહણ કરવા ઉપગમાં તેમની નિશ્રાના સ્વીકારનું વચન કહેવું તે ઉપનિષત્. તે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ પ્રકારે હોય. તેમાં જ્ઞાન ને દર્શન સૂત્ર અર્થ ને તદુભય ત્રણ પ્રકારે તે પણ વર્તના, સંઘના, ગ્રહણ ત્રણ પ્રકારે. તેથી જ્ઞાનોપસંપદ્ ને દર્શનોપચંપના નવ ભેદ. (૧) વર્તન. સ્થિરીકરણ ભણેલ સૂત્રના સંસ્કારને દઢ કરવા ફરીથી ઉચ્ચા પુનઃ પુનઃ અનુશીલન કરવું તે અર્થનું સ્થિરીકરણ.
સંઘણ કાલાન્તરે સૂત્રાર્થ-તદુભયના જે સંસ્કાર ભૂંસાઈ ગયા હોય તેને યાદ કરવા, તાજા કરવા, એ સંઘણ ગ્રહણ-અપૂર્વ-પૂર્વે નહીં ભણેલા સૂત્રાદિકનું ધારણ કરવું એ ગ્રહણ.
ઉપસંહદ્ વિષયમાં ચાર ભાંગા પ્રતીચ્છય પ્રતીચ્છિકને આશ્રીને થાય છે ? (૧) અમુક પાસે ભણ અને અમુક ભણ; (૨) અમુક ભણ, કોની પાસે ભણવું તે ન કહે; (૩) અમુક પાસે ભણ, શું ભણવું તે ન કહે; (૪) શું ભણવું, કોની પાસે ભણવું તે બન્ને ન જણાવે. આમાં પહેલો ભાંગો શુદ્ધ, બીજા અશુદ્ધ, છતાંય શાસ્ત્રનો વ્યુચ્છેદ ન થાય તે માટે બીજા પણ અનુજ્ઞાત છે. અબ્બોચ્છિત્તિનિમિત્તે નેમાં તે વિય મgovયાં જ્ઞાન વાચનાગ્રહણ કરવાની વિધિ પણ વિસ્તારથી બતાવી છે. વંદન યોગ્ય કોણ ? તેનું પણ વિવેચન કર્યું છે. ચારિત્રોસંપદ્બે પ્રકારે (૧) વૈયાવચ્ચ નિમિત્તે કોઈની નિશ્રાનો સ્વીકાર. તેની વ્યવસ્થા પણ વિસ્તૃત જણાવી છે. (૨) ક્ષપણ: તપશ્ચર્યાદિ નિમિત્તે નિશ્રાનો સ્વીકાર. ક્ષપક બે પ્રકારે ૧. યાવત્રુથિક ૨. ઈવર યાવત્રુથિક જે ભવિષ્યમાં અનશન સ્વીકારવાનો હોય તે. ઈવર-બે પ્રકારે વિકષ્ટપક અમ કે તેથી વધુ તપ કરનાર (૨) અવિકૃષ્ટ ક્ષપક ઉપવાસ કે છઠ્ઠ કરનાર. આનો પણ વિવેક જણાવેલ છે. સામાચારી યોગ્ય કોણ?
- ગિળા કુત્તા પરતંતા દૂi- આ સામાચારી પાલનમાં તત્પરતા ઉત્સાહ જિનેવર ભગવંતે જણાવેલ વિધિમાં પરાયણ તેમ જ ગુરુને આધીન રહેનાર સાધુઓને જ સંભવે, બીજાને નહિ. આ સામાચારીનું એકાંતિક ને આત્યંતિક ફળ પણ કોણ મેળવી શકે?
अज्झपझाणरयस्सेसा, परमत्थसाहणं होइ । मग्गम्मि चेव गमणं, एव गुणस्सणुव ओगेऽवि ॥ -
( સામાપારી પ્રકરણ ઘ ૭૩ )