________________
રાગદ્વેષની આ હાનિના ઉદ્દેશથી જ પ્રવર્તેલો છે.
આપણે પણ એકાંતમાં વિચાર કરીએ કે આટલાં વર્ષોથી ધર્મ આરાઘના કરવા છતાંય શું આપણા રાગ દ્વેષ વધ્યા કે ઘટયા? જો નથી ઘટયા, તો પૂજ્ય ઉપાધ્યાયજીની સ્વર્ગગમનની ત્રિશતાબ્દી વર્ષની ઉજવણીની સ્મૃતિમાં આજથી તે રીતે પ્રવૃત્તિ કરવા નિશ્ચય કરીએ કે જેથી રાગદ્વેષનો ક્ષય થાય અને ઉત્તરોત્તર કલ્યાણની મંગલમાલા પ્રાપ્ત થાય. સામાચારીનું નિરૂપણ કરતાં શબ્દ સ્વરૂપે જાણે અત્યારે પણ આપણી સમક્ષ સાક્ષાત ઉપસ્થિત છે તેવા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજનાં ચરણારવિંદમાં કોટિ કોટિ વંદના........
સામાવારી પ્રારH ૩૫
–