________________
ન થઈ શકે. કદાચ સમાવેશ થાય તો એ ક્ષણિક નીવડે. એટલે લઘુ હોવા છતાં ગુરુમાં સમાવિષ્ટ ન થઈ શકવાનું અહીં સમાધાન સાધ્યું છે. બીજી પણ એક વાત છે – લઘુમાં ગુરુના પરાવર્તની. તે માટે અરીસાનું ઉદાહરણ આપતાં કહે છે કે નાના અરીસામાં મહાકાય હાથીનું પ્રતિબિંબ ઝિલાય છે. અહીં કહે છે:
અથવા થિરમાંહી અથિર ન આવે, —ોટો ગજ દર્પણમાં આવે રે. જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે,
તેહને દીજે એ શાબાશી રે... આ આશ્ચર્યજનક ઘટનાનું શ્રેય પોતાના બુદ્ધિચાતુર્યને ઘટે છે. પરંતુ એ બુદ્ધિપ્રકાશ પણ મહાપ્રાજ્ઞના તેજથી થયો છે એટલે એની શાબાશી એમને જ ઘટે છે એવો તોડ કવિ અહીં લાવ્યા છે. આ આખા સ્તવનમાં પ્રશ્નોત્તર દ્વારા રચાતા આંતરિક સંવાદ અને એમાં રહેલાં ભરપુર નાટ્યતત્ત્વ કાવ્યને આહલાદક બનાવે છે. શ્રીવાસુપૂજ્યસ્વામીના સ્તવનમાં ઉપાધ્યાયજી કહે છેઃ
“અમે પણ તુમશું કામણ કરશું
ભક્ત પ્રહ મન ઘરમાં ધરીશું.....સાહેબા.' અહીં ભગવાન પર કામણ કરવાની વાત છે અને તે ભક્તિ વડે એમને | વશ કરી મનરૂપી ઘરમાં ધારણ કરવાનો એમણે વિશ્વાસ દર્શાવ્યો છે. આ જ વાત એમણે બીજી એક ચોવીસીના પ્રથમ સ્તવનમાં આ રીતે કરી છે :
મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી જેહશું સબલ પ્રતિબંધ લાગો ચમક પાષાણ યમ લોહને ખીંચશે
મુક્તિને સહજ મુજ ભક્તિ રાગો. જૈન ધર્મમાં એક પારિભાષિક શબ્દ છે : નિયાણુ, એમાં પુણ્યકર્મ દ્વારા ફળ માગવાનો નિષેધ છે. ભૌતિક, આધિભૌતિક કે સાંસારિક સિધ્ધિ અર્થે સુકૃત પણ નિષિદ્ધ છે. એટલું જ નહિ પરંતુ એવી સિદ્ધિની અભિલાષા પણ મનમાં ન ઊગવી જોઈએ. આમ છતાં એવું થાય તો એનું ફળ અવશ્ય મળે, પણ અંતે તો એનું પરિણામ સંસારવૃદ્ધિનું છે. આવી તાત્ત્વિક ભૂમિકાને લક્ષમાં રાખી
( તજન- માવ્યો p 109 )