________________
સ્તવન લગોલગ મૂકવા જેવાં છે. યશોવિજયજી કહે છે: ઈહાંથી તિહાં જઈ કોઈ આવે નહિ
જેહ કહે સંદેશોજીજેહનું મિલવું રે દોહિલું તેહશું
નેહ તે આપ કિલેશોજી..પદ્મપ્રભ. તો દેવચંદ્રજી કહે છેઃ કાગળ પણ પહોંચે નહિ .
નવિ પહોચે હો તિહાંકો પરધાન જે પહોંચે તે તુમ સમો
નવિ ભાંખે હો કોઈનું વ્યવધાન, -
ઋષભ નિણંદશું પ્રીતડી એક સારો શ્લોક, કડી, દૂહો કે લીટી: એ તો ક્યારેક મંદિર બની જાય, ક્યારેક તીર્થસલિલ બની જાય તો ક્યારેક ગોકુળ-વૃંદાવનનો વગડો બની જાય. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની સ્તવન ચોવીસીઓમાં આવી જ રચનાઓ છે. અહીં તો કાવ્યની વિશેષતાને અનુલક્ષી માત્ર અંગૂલિનિર્દેશ કર્યો છે. ગાય સૂંઘીને ચરે. જે સારું હોય, પોષણ મળે એવું હોય તે ચરી લે ને પછી નિરાંતે બેસી વાગોળે એમ ઉપાધ્યાય યશોવિજયજીની કૃતિઓનો, મધ્યકાલીન સાહિત્યમાંથી ચારો ચરીને, નિરાંતે વાગોળવા જેવા છે.
પરોવાતી d ૧૭૮