________________
નથી. પરંતુ માગીને આભૂષણોની માફક ક્ષણિક છે. જ્ઞાન, દર્શન, ચારિત્રથી સમૃધ્ધ વ્યક્તિ જ પૂર્ણ છે, તેની પૂર્ણતા સ્વાભાવિક રીતે અવિનાશી છે.
૨. વિકલ્પથી ઉત્પન્નપૂર્ણતા તોફાની સમુદ્રના તરંગોની માફક અવાસ્તવિક છે, ક્ષણિક છે, પરંતુ સહજ આનન્દથી ઉત્પન્ન આત્માની પૂર્ણતા શાન્ત મહાસાગરની માફક નિશ્ચલ અવિચલ હોય છે.
૩. તૃષ્ણારૂપ કાળીનાગનું દમન કરીને જેણે પૂર્ણતા પ્રાપ્ત કરી છે તે કદી પણ દીન નહીં બને.
૪. બાહ્ય પરિગ્રહની ઉપેક્ષા એ જ પૂર્ણતા છે.
૫. પારકી વસ્તુને પોતાની માનનાર ચક્રવર્તી પણ દીન છે. જ્ઞાનાદિ આત્મિક ગુણોને પોતાના માનનાર વ્યક્તિ ઇન્દ્ર કરતાં પણ વધુ સમૃદ્ધ છે.
૬. ક્રિયાવાદી (આત્મવાદી) જીવ શુક્લપક્ષીય છે. અક્રિયાવાદી કૃષ્ણપક્ષીય છે. અર્થાત્ સંસારમાં પરિભ્રમણ કરનારા હોય છે.
૨. મગ્નાષ્ટક
આ અષ્ટકમાં ચિત્તની એકાગ્રતા નિરૂપાઈ છે. પ.પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે જેમનું ચિત્ત જ્ઞાનમાં નિમગ્ન બન્યું હોય તે તરત જ પરમાત્મ દશાને પ્રાપ્ત કરે છે. તેનો કર્તૃત્વભાવ દૂર થઈ જાય છે. સંસાર એને નિરસ લાગે છે.
૩. સ્થિરતાષ્ટક
અહીં મનને સ્થિર કરવાનો ઉપદેશ આપ્યો છે. પ.પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે ખાટા પદાર્થથી દૂધ ખાટું અને ખરાબ થઈજાય છે. તે જ રીતે લોભ અને ક્ષોભ રૂપી અસ્થિરતાથીજ્ઞાનનાશપામેછે(૨).
અસ્થિર મન ધરાવનાર વ્યક્તિ વ્યભિચારિણી સ્ત્રીની માફક દુઃખી થાય છે. સ્થિરચિત્ત વ્યક્તિની તમામ ક્રિયાઓ સતી સ્ત્રીની માફક કલ્યાણકારી હોય છે. (૩).
શલ્યરૂપ અસ્થિરતા ધરાવનારની તમામ ક્રિયાઓ નિષ્ફલ જાય છે. કુપથ્યનું સેવન કરનારને માટે બહુમૂલ્ય ઔષધિ પણ નિરર્થક સિધ્ધ થાય છે. તે જ રીતે જેના હૃદયમાં શલ્ય છે તેની ક્રિયા પણ નિષ્કલ જાય છે (૪)
સંપૂર્ણ સ્થિરતારૂપ ચારિત્ર તો સિધ્ધ પરમાત્માને પણ ઈષ્ટ છે.
યશોભારતી છુ. ૮૦