________________
અનિવાર્ય છે. કારણ, ઇન્દ્રિયોને અધીન બનેલો જીવ આ સંસારમાં મહાદુઃખો અનુભવે છે.
હજારો નદીઓ ભળી જવા છતાં સાગર અતૃપ્ત રહે છે. તે જ રીતે અનંત ભોગોની પ્રાપ્તિ થવા છતાં ઈન્દ્રિયો સદાય અતૃપ્ત જ રહે છે.
પતંગિયું, ભમરો, માછલું, હાથી, મૃગ, એક એક ઇન્દ્રિયના દોષથી પ્રાણાન્ત કષ્ટો ભોગવે છે. તો પછી પાંચે ઈન્દ્રિયોને અધીન જીવની તો વાત જ શી કરવી?
૮. ત્યાગાષ્ટક
જીવનના સર્વોચ્ચ શિખર પર પહોંચવા માટે ત્યાગ અતિ આવશ્યક છે. સંસારનાં તમામ બંધનોનો ત્યાગ કરનાર એવા સંયમી આત્માને પોતાના બાહ્ય સંબંધીઓ તરફ જેવાપણું હોતું નથી. તેમણે તો ધૃતિ, સમતા, ક્ષમા વગેરે જેવા આન્તરિક બંધુઓની જ સહાયતા લેવી ઘટે.
નિર્મલ ચન્દ્ર જે રીતે આકાશમાં શોભે છે. તે જ રીતે સમાજરૂપી નક્ષત્રમણ્ડલમાં ત્યાગી શોભી ઊઠે છે. ૯. ક્રિયાષ્ટક
સમ્યફ ક્રિયાથી જ જીવ મુક્તિ પ્રાપ્ત કરે છે. જ્ઞાનરહિત ક્રિયા નિરર્થક છે અને ક્રિયારહિત જ્ઞાન પણ નિરર્થક ભારરૂપ છે. સમ્યક જ્ઞાન અને ક્રિયાથી જ જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ૧૦. તૃયાષ્ટક
જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને ક્રિયારૂપી કલ્પવલ્લીનાં દિવ્ય ફળ આસ્વાદીને, સમતારૂપ તાબુલ ચાખીને મુનિ પરમ તૃમિની અનુભવ કરે છે.
સ્વગુણની પ્રાપ્તિથી જીવને જે તૃપ્તિ મળે છે તે ઇન્દ્રિયોના ભોગથી સંભવતી નથી.
બાહ્ય પુદ્ગલોથી તો માત્ર શરીર તૃપ્ત થાય છે. આન્તરિક ગુણોની પ્રાપ્તિથી જ આત્મા તૃપ્ત થાય છે. ૧૧. નિર્લેપાષ્ટક .
કાજળની કોટડીમાં રહેલ વ્યક્તિ કાજળથી કાળી થયા વિના રહેતી જ નથી. અર્થ એ થયો કે સંસારમાં સંસારી જીવ કર્મમળથી લિપ્ત થાય જ છે, પરંતુ