________________
જ્ઞાનીજનો કદી પણ સંસારથી લિપ્ત થતા નથી.
તપ અને જ્ઞાનના મદથી લિપ્ત ક્રિયાવાન પણ લિપ્ત થાય છે અર્થાત્ કર્મબંધન ઊભું કરે છે. પરંતુ ભાવજ્ઞાનથી સમ્પન્ન વ્યક્તિની ક્રિયા કર્મબંધનનું કારણ બનતી નથી.
મહાન ચિન્તક પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે પ્રભુત્વ-સમ્પન્ન બનવા માટે ઉપર્યુક્ત નિયમોની સાથે સાથે નીચેના ઉપાયો પણ બતાવ્યા છે. તે છે નિઃસ્પૃહતા, મૌન, સમ્યક્ વિદ્યા, વિવેક, માધ્યસ્થભાવ, નિર્ભયતા, અનાત્મશંસા, તત્ત્વદષ્ટિ, સર્વસમૃધ્ધિ કર્મ વિપાક ચિન્તન, ભવોદ્દેગ, લોકસંશા ત્યાગ, શાસ્ત્રપઠન, પરિગ્રહત્યાગ અનુભવ, યોગનિયોગ (ભાવયજ્ઞ) પૂજા, ધ્યાન, તપ, સર્વ નય આશ્રયણા =(સમન્વયદ્રષ્ટિ) આ તમામ પર તેમણે ગહન ચિન્તન કર્યું છે. આ તમામ ઉપાયો મોક્ષપ્રાપ્તિના છે; આત્મામાંથી પરમાત્મા બનવા માટે છે.
ગજાનસાર ર