________________
સેવા જણો દાસની રે, દેશો ફળ નિવારણ, ' આવો આવો રે ચતુર સુખભોગી,
કીજે વાત એકાંતે અભોગી. પ્રેમમાં વિઠંભે થતી ગોઠડીનું સુખ કલ્પનાતીત છે. વસ્તો વિશ્વેભર આ સુખને ચૌદલોકની પડછે મૂકી એનાથી રૂડું બીજું કશું એને લાગતું નથી એમ જણાવી એનો મહિમા કરે છે. અવધૂત આનંદઘનજી પણ આવી જ અનુભૂતિ કરે
મીઠે લાગે કંતડો ને ખારો લાગે કોક
કંત વિહણી ગોઠડી, તે રણમાંહે પોક આ સ્તવનમાં રમ્યકોટિ જોવા મળે છે. યાચકને યાચકભાવ ન આવે એ રીતે આપવાથી દાતાની શાખ વધે છે અને યાચકની ઈજ્જત થાય એવી સહૃદયતાથી દાન કરવું જોઈએ, એવું ન થાય તો
જળ દીએ ચાતક ખીજવી
મેઘ હુઓ તીણે શ્યામ ચાતકને ખીજવી ખીજવીને વૃષ્ટિ દ્વારા જળસિંચન કરવાથી મેઘ જેમ શ્યામ થયો એવી હાલત દાતાની થાય. અહીં વાદળોની શ્યામતાના કારણ અંગેની કલ્પના દ્વારા રમ્યકોટિ જોવા મળે છે. ચાતક અંગેની પુરા-કથાનો પણ એવો જ રમ્ય ઉપયોગ થયો છે, આપણાં પ્રાચીન મુક્તકો, અન્યોક્તિ, અત્યુક્તિ અને કલ્પનોના કારણે, બદલાતી કાવ્યરુચિ અને પલટાતા કાવ્યપ્રવાહો વચ્ચે, આધુનિક રચનાઓ જેવાં જ અને જેટલાં જ, (કદાચ ચડિયાતાં) આજે પણ તાજગીપૂર્ણ અને આકર્ષક રહ્યાં છે. આ કડી એનું ઉત્તમ ઉદાહરણ છે. શ્રીધર્મનાથ સ્વામીના સ્તવનમાં કવિ કવે છે:
થાશું પ્રેમ બન્યો છે. રાજ, નિરવહશ્યો તો લેખે
મેં રાગી, પ્રભુ યેં છો નિરાગી, અણજુગતે હોએ હાંસી.... પ્રેમમાં કજોડું થાય તો હાંસી થાય. ભગવાન વિતરાગી અને હું રાગી. એવી સ્થિતિ અને એકતરફી સ્નેહ રાખવામાં હાંસી થાય છતાં એ પ્રીતિ રાખવામાં મારી શાબાશી છે એમ કવિ ઉમેરે છે. આપણા કથાસાહિત્યમાં “ચતુર નાયિકા અને મૂરખ નાયકનું કથાઘટક છે, એમ એવાં ફાગુકાવ્યો પણ રચાયાં છે, એ વાતની અહીં યાદ આવે. આ વાતને આનંદઘનજીએ અભિનંદન જિન સ્તવનમાં આ રીતે કહી છે?
ન
સ્તવન - IIબો n ૧૦૫