________________
એકેક તીર્થંકર વિષે આ રીતે ત્રણ ત્રણ સ્તુતિ-કાવ્યો રચાય એટલે એમાં એકવિધતા અને પુનરુક્તિ-દોષ આવી જાય એવું આપણને સ્વાભાવિક લાગે. પરંતુ એમના વ્યક્તિસભર સ્તવનમાં માત્ર મહિમા-સ્મૃતિ નથી, એમાં ઉલ્લાસ, લાડ, મર્મ, નમ્રતા, મસ્તી, ટીખળ, ધન્યતાદિ ભાવોની દાંતસુભગ, સુઘડ અને કલ્પનાશીલ રજૂઆત છે. નિર્ચાજ નૈકર્યલાડ આ
સ્તવનોનું છટાળું પાસું છે, જે ભાવકમાં સમભાવ, સમસંવેદન જગાવે છે. શ્રી રામપ્રસાદ બક્ષીએ કહ્યું છે તેમ કવિ પોતાની અનુભૂતિને માત્ર વ્યક્ત કરતો નથી. વાચકના હૃદયમાં એવી જ અનુભૂતિ જગાડવાનો એનો પ્રયત્ન હોય છે. વાચકમાં સમભાવ જગાડે એ જ એની કવિશક્તિની અને કલાની સફળતા છે.”
કહ્યું છે કે “Child is the Father of Man - બાળકોની બુદ્ધિ તાવે છે.” એટલા માટે કે જિજ્ઞાસા અને વિસ્મયથી પોતાની આંખે સૃષ્ટિનું નિરીક્ષણ કરતાં બાળકો અવનવા પ્રશ્નો કરે છે અને એમાં કેટલાક પ્રશ્નો આપણને મૂંઝવણમાં મૂકી દે તેવા હોય છે. વર્જીનિયા વુલ્ફ જેને મર્મસૂચક ક્ષણ કહે છે તેવી ક્ષણ કવચિત્ જ સાંપડે છે. ન્યૂટને શોધેલો ગુરુત્વાકર્ષણનો નિયમ કે વૉટસને કરેલી વરાળથી ચાલતા એન્જિનની શોધ: આવી મર્મસૂચક ક્ષણ વિસ્મય અને જિજ્ઞાસાનું સફળ છે. “નય વિબુધનો પય સેવક' કે “વાચક જશ'થી ઓળખાતા ઉપાધ્યાય યશોવિજયજી એવી જ બાળસુલભ જિજ્ઞાસા, વિસ્મય અને નિર્દોષતા આ સ્તવન ચોવીસમાં પ્રગટ કરે છે. શ્રીસુવિધિનાથના સ્તવનમાં તેઓ પ્રશ્ન રજૂ કરે
છે:
‘લઘુ પણ હુ તુમ મન નવિ માવું રે જગગુરુ તુમને દિલમાં લાવું રે કુણને એ દીજે શાબાશી રે
કહો શ્રીસુવિધિ નિણંદ વિમાશી રે” હું નાનો હોવા છતાં તમારા મનમાં મારો સમાવેશ થતો નથી. એથી ઊલટું તમે મોટા હોવા છતાં મારા મનમાં તમારો સમાવેશ થયો છે એ આશ્ચર્યનું આશ્ચર્ય છે. એની શાબાશી કોને દેવી એ વિચારી લેશો. સર્જકની વાણીમાં રહેલી બાળકના જન્મ જેટલી સંકુલતા, વિસ્મય અને તાજગીપૂર્ણ અનુભૂતિની અહીં વેધક અભિવ્યક્તિ છે.
હવે પ્રત્યુત્તરમાં કવિ તર્ક લડાવે છે. સ્થિર અને શાશ્વત વસ્તુનો સમાવેશ ૧ જુઓ “વાડ્મયવિમર્શ, પૃષ્ઠ-૪૦
છે. યશોભારતી D ૧૭૨