________________
ગાઈ શકે છે કે:
કણે કોઉ કછુ હમ નવિ રૂચે, છુટી એક વીતરાગ'
પ્રભુના પરમ પવિત્ર પ્રેમમાં એક આનંદઘન આત્મા સિવાય અન્ય કોઈ પર વસ્તુને લેશમાત્ર સ્થાન-માન ન હોય. આ હકીકતને વ્યક્ત કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ સ્તવનની છેલ્લી ગાથામાં કહે છે કે –
વાસિત હૈ જિનગુણ મુજ દિલકું, ચૈસો સુરત બાગા
ઓર વાસના લગે ન તાંકુ, “જસ” કહે તું બડભાગ'
માત્ર દિલમાં “હું નથી રહ્યો, પણ કેવળ જિનગુણ જ મદામદો છે. એટલે મને દુન્યવી કોઈ ઇચ્છા, તૃષ્ણા, વાસના રહી જ નથી.
જેને કલ્પવૃક્ષનો આખો બગીચો જ મળી ગયો હોય, તેને દુન્યવી કોઈ વસ્તુની કમીના કે કામના રહેતી નથી, તેમ મારા હૃદય-મંદિરમાં પૂર્ણ પરમાત્મા પૂર્ણરૂપે પ્રતિષ્ઠિત થયા છે, તેથી મને કશાની કમીના નથી, કોઈની કામના નથી.
પોતાની જાતે કોણ પોતાને બડભાગી કહી શકે? સાચા ભક્તો આમ તો આવા ઉદ્ગારો નથી કાઢતા, પણ જ્યારે કાઢે છે, ત્યારે તેમના હૈયામાં આવી ભક્તિ કરીને બડભાગી બનવાની ઉચ્ચતર પ્રેરણા પૂરી પાડવાનો ઉદાત્ત આશય હોય છે.
અને તે જ ખરેખર બડભાગી છે કે જે પરમ-સૌભાગ્યવંત અરિહંત પરમાત્માના પ્રેમમાં પાગલ બનીને તેમને જ પોતાના એકમાત્ર “પ્રિયતમ” તરીકે ભજે છે, પૂજે છે, તેમ જ પોતાના શ્વાસ સુદ્ધાના સ્વામી બનાવી દે છે.
પ્રભુના પક્ષે બડભાગી શબ્દનું મહત્ત્વ વિચારીએ તો આ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ સૌભાગ્યવંત એકમાત્ર અરિહંત પરમાત્મા છે કે જેમનાથી પ્રેમ કરીને, અર્થાત્ જેમના પ્રેમને પ્રાપ્ત કરીને ભક્તાત્મા દિવ્ય આનંદથી ભરાઈ જાય છે અને ક્રમશઃ પ્રભુનાસામીપ્યને અનુભવતાં અનુભવતાં પોતે પૂર્ણત્વને ઉપલબ્ધ થઈ જાય છે.
પ્રભુ-પ્રેમના સ્વાનુભૂત આ અગાધ પ્રભાવને બહુ જ માર્મિક શબ્દોમાં વ્યક્ત કરીને પૂ. ઉપાધ્યાયજી મહારાજે સ્તવનની છેલ્લી પંક્તિમાં “પ્રભુ ! આ સર્વ તને આભારી છે' ના કૃતજ્ઞતાભાવપૂર્વક પોતાના પ્રિયતમ પ્રભુને “તું બડભાગ” તરીકે સ્તવે છે.
{ વણોભારતી n ૧૦૮ )