________________
શુદ્ધ પ્રરૂપણ ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહટ્ટમાલા...ધન્ય છે નિજ ગણ સંચે, મન નવિ ખંચે, ગ્રંથ ભણી જન વંચે; લંચે કેશ ન મુંચે માયા, તે ન રહે વ્રત પંચે...ધન્ય છે
જે યોગ-ગ્રંથના ભાવ જાણતા નથી અને જાણે તો પ્રકાશતા નથી અને ફોગટ મોટાઈ મનમાં રાખે છે, તેનાથી ગુણ દૂર નાસે છે! જે પરપરિણતિને પોતાની માને છે ને આર્તધ્યાનમાં વર્તે છે અને જે બંધ-મોક્ષનાં કારણ જાણતાં નથી, તે પાપ શ્રમણ' તે પહેલે ગુણઠાણે છે; તે અજ્ઞાની દંભી સાધુઓ પોતાને ભલે છ ગુણઠાણે માનતા હોય, પણ તે તો પહેલા ગુણઠાણે જ વર્તે છે.
“યોગ ગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકાશે; ફોકટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાશે..ધન્ય૦ પર પરિણતિ પોતાની માને, વરતે આરત ધ્યાને;
બંધ મોક્ષ કારણ ન પિછાને, તે પહિલે ગુણઠાણે...ધન્ય
ઈત્યાદિ પ્રકારે કુસાધુઓની-કુગુરુઓની સખત ઝાટકણી કાઢી નિર્મલ મુનિપણાના આદર્શની ત્યાં સુપ્રતિષ્ઠા કરી છે. - આમ અનેક પ્રકારે આ મહાપ્રભાવકધર્મધુરંધર મહાત્મા શ્રી યશોવિજયજીએ શુદ્ધ માર્ગપ્રભાવના કરી, ભારતનું ભૂષણ વધાર્યું, જગતને ઉત્તમ તત્ત્વજ્ઞાનની ભેટ ધરી અને સમાજની વિવિધ પ્રકારે સેવા કરી અનન્ય જનકલ્યાણ કર્યું. આવા પરમ ઉપકારી પુરુષનું જગત કેટલું બધું ઋણી છે!
( Full HD M 17