________________
તેમણે તેમાં જણાવ્યું છે કે –“મને વીર ભગવાન ઉપર પક્ષપાત નથી કે કપિલ વગેરે મુનિઓ પર દ્વેષ નથી પણ દલીલપૂર્વકનું જેનું વચન લાગ્યું તે મેં જણાવ્યું છે અને તે યુક્તિવાળા વચનને સ્વીકારવું જોઈએ.”
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે સવા ત્રણ કરોડ શ્લોકની રચના કરી છે. કોઈ પણ વિષય પછી તે વ્યાકરણ, ન્યાય કે ધર્મશાસ્ત્રનો હોય તે સર્વ વિષયોની વિશદ્ રચના કરી અનેક ગ્રંથો બનાવ્યા છે. એટલું જ નહીં પણ તેમના બનાવેલા વ્યાકરણ, છંદ, કોષ અને યોગશાસ્ત્રના ગ્રંથો જૈનદર્શનના અભિલાષીઓ તો વાંચે, વિચારે અને ભણે પરંતુ જૈનેતર દર્શનોમાં પણ તેમના ગ્રંથોએ ખૂબ જ પ્રતિષ્ઠા મેળવી છે. તે
પૂ. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે સોમનાથ મહાદેવની સિદ્ધરાજે કાઢેલી યાત્રા પ્રસંગે “મવાર વીન નનના રાદિધામુપતા ય ગ્રહો વા વિષ્ણુ વી દરો નિનો વા નમત.' આમ એમણે, “કેવળ દેવ તરીકે માનવામાં માત્ર મહાવીર આદિને જ માનવા એમ નહીં, પણ જેનામાંથી રાગદ્વેષાદિ ચાલ્યા ગયા હોય તે ગમે તે બ્રહ્મા, વિષ્ણુ કે શંકર હોય તેને નમસ્કાર કરવા જણાવ્યું છે.”
ચોથા ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય ઉપાધ્યાય યશોવિજયજી ગણિ, જે ૩00 વર્ષ ઉપર થયા, તેમણે જૈનશાસન અને જૈનદર્શનને ખૂબ જ ઉન્નત બનાવ્યું છે. નવ્ય ન્યાયયુક્ત ગ્રંથોની રચના કરી, તેમણે શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયમાં અતિ ઉત્તમ સ્થાન મેળવ્યું છે, જે સ્થાન આજ સુધી કોઈ પણ મેળવી શક્યું નથી.
આ ચારેય મહાત્માઓએ ખૂબ જ સમતોલ દષ્ટિ રાખી, પારંપારિક વિચારણાને ગૌણ કરી, યુક્તિયુક્તપૂર્વક જૈનદર્શનને ઉન્નત બનાવ્યું છે.
(૨) આ ચારેય મહાસમર્થ, શાસનપ્રભાવક પુરુષોમાં - પૂ. આ. સિદ્ધસેન દિવાકરસૂરિ અને પૂ. આ. હરિભદ્રસૂરિ - આ બે વિદ્યાના વારસાયુક્ત બ્રાહ્મણસંપ્રદાયમાં જન્મેલા છે. અને તે સંપ્રદાયમાં વિશિષ્ટ ખ્યાતિ પામેલા છે. જૈનદર્શનની યુક્તિયુક્ત વિચારણાએ તેમને આકર્ષ્યા છે. અને તેઓએ જેનદર્શનના રાગી બની, જૈનદર્શનની વિચારધારાને સર્વ દર્શન સમક્ષ સફળ રીતે રજૂ કરી છે.
જ્યારે – કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ અને પૂજ્ય ન્યાયવિશારદુ, ન્યાયાચાર્ય યશોવિજયજી મહારાજ આ બંને – એક મોઢજ્ઞાતિ વણિક અને બીજા જૈન પરંપરાગત વણિક જ્ઞાતિના છે.
(યશોવિજ્યજી ગણિવર ઘમરૂષો