________________
વિષય નોંધપાત્ર છે. સિદ્ધર્ષિએ રૂપકાત્મક શૈલીની અપૂર્વતા છતાં તેની શાસ્ત્રસંમિતિ પ્રસ્થાપિત કરતાં સન્ધિતોપમ = તત્સિાજોણુપતગતે (ઉપ. પ્ર. ૧-૮૦) કહીને ઉપનયયુક્ત પીઠબંધમાં આત્મલઘુતાનું નિવેદન કર્યું છે, જ્યારે યશોવિજયજીએ પ્રથમ સ્તબકમાં સત્તરમી સદીના જૈન શાસનમાં તેમણે નિuળેલી વિકૃતિઓ ઉપર પ્રહારો કર્યા છે.
સિદ્ધાર્ષની આ રૂપકાત્મક અને પ્રસ્થાપિત શૈલીનો લાભ યશોવિજયજીએ પૂર્ણ સ્વરૂપમાં લીધો છે; તેથી તેમણે ઉપમિતિ જેવી વિશાળ કથાને બે રીતે નવાજીને જૈન સંસ્કૃત-સાહિત્યમાં અંતિમ પ્રતિભાવંત સર્જક તરીકે અક્ષયકીર્તિ પ્રાપ્ત કરી છે. આ બે રીતોમાં એક છે સારસંક્ષેપ છતાં નવસર્જન કોટિની રૂપકાત્મકતા અને બીજી છે કથાસાર મહાકાવ્યમાં સ્વરૂપ રૂપાંતર.
અલંકારશાસ્ત્રકથિત મહાકાવ્યવિષયક લક્ષણોની સુસંગતતા યા વિસંવાદિતાનો વિચાર કર્યા વગર, કોઈ નિશ્ચિત બેય યા આગવા દષ્ટિબિંદુની પૂર્તિ માટે જૈન સર્જકોએ પ્રાકૃત સંસ્કૃત મહાકાવ્યો કથાઓને આધારે કથાસાર મહાકાવ્યનાં સર્જન કર્યા છે; અને તે પરંપરા વિમલપ્રભસૂરિકૃત “પઉમચરિય'થી શરૂ કરીને છેક સત્તરમી સદીના યશોવિજયજીકૃત વૈરાગ્યકલ્પલતા સુધી વિસ્તરી.
જોકે આ પ્રકારની પ્રવૃત્તિનાં મૂળ ઘણાં પ્રાચીન છે. ગોડાભિનંદે કાદંબરીનો સારસંક્ષેપ કર્યો છે. આ ઉપરાંત પ્રદ્યુમ્નસૂરિકૃત “સમરાદિત્યસંક્ષેપ અને ધનપાલની તિલકમંજરી'ના ચારેક સારસંક્ષેપો જાણીતા છે. ઉપમિતિના સારસંક્ષેપો પણ નોંધપાત્ર છે, જેમ કેઃ
વર્ધમાનસૂરિકૃત “ઉપમિતિભવપ્રપંચાકથાનામ સમુચ્ચય,” હંસગણિત ‘ઉપમિતિભવપ્રપંચાકથા સારોદ્ધાર', દેવસૂરિકૃત ઉપમિતિપ્રપંચોદ્ધાર આ |ઉપરાંત હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'ના સંક્ષેપો સુવિદિત છે.'
આવી કથાસારકૃતિઓના સર્જન પાછળ અનેક ઉદ્દેશો કામ કરે છે; જેમકે “સમરાદિત્યસંક્ષેપ'માં પ્રદ્યુમ્નસૂરિએ લખ્યું છે કે માત્મન હેતવે છે પરંતુ ખાસ તો જે તે કૃતિની ભવ્યતા, ધાર્મિક સત્ત્વશીલતા, પ્રભાવકતા વધુ પ્રેરક છે. - યશોવિજયજી તો સાક્ષાત કર્યાલી સરસ્વતી હતા. તો તેમણે નવીન કતિ રચવાને બદલે સાર-સંક્ષેપ કેમ કર્યો? એનું ગૂઢ કારણ એ હોઈ શકે કે સમગ્ર જૈિન સિદ્ધાંતોને એક કથાના રૂપમાં મૂકવાનો સૌથી મહાન અને સફળ પ્રયત્ન ઉપમિતિમાં થયો છે અને સર્વ જીવોને શાસન-રસિત કરવાની તેમની નેમ
ન પોભારતી u so )