________________
ચાર પંક્તિમાં જિન શાસનની સાધનાનું પરમ રહસ્ય બતાવ્યું છે.
અરિહંત પરમાત્માના ધ્યાનમાં જે સમયે ધ્યાતા (ધ્યાન કરનાર) સ્થિર બની જાય છે, તે સમયે ધ્યાતાનો ઉપયોગ ધ્યેય(પરમાત્મા)માં તન્મય-તતૂપ થઈ જાય છે. તે સમયે ધ્યાનમાં સ્થિર હોય તેટલો સમય પૂરતો ધ્યાતા આગળથી ભાવનિક્ષેપે અરિહંતરૂપ બને છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ ધ્યાનપ્રક્રિયા સરળ ગુજરાતી ભાષામાં મહાપુરુષે આ ચાર પંક્તિમાં બતાવી છે. મનુષ્યમાંથી પરમાત્મરૂપ આપણી ચેતનાને ટ્રાન્સફર કરવાની આ દિવ્ય પ્રક્રિયા છે.
આત્મધ્યાને આત્મા ઋદ્ધિ મળે સવિ આઈ રે.”
ઉપર મુજબ અરિહંતના ધ્યાનમાં તદ્રુપ બનવાથી ધ્યાતાનો ઉપયોગરૂપ પર્યાય (અવસ્થા) અરિહંત આકાર બન્યો. અને આત્મા જ્યારે અરિહંતાકાર બનેલા પોતાના ઉપયોગ રૂપ પર્યાયને ધ્યેય બનાવી ધ્યાન કરે છે ત્યારે પર્યાયથી અભિન્ન એવા આત્મના સ્વરૂપનો અનુભવ થાય છે.
(૧) ધ્યાન કરનારો આત્મા તે દ્રવ્ય (૨) બાતાનો અરિહંતાકાર બનેલો પર્યાય તે ધ્યેય (૩) ધ્યાન પણ આત્માના ગુણોના સ્વરૂપનું જ છે.
આ રીતે દ્રવ્ય-ગુણ-પર્યાયની એકતા થાય છે ત્યારે “આત્મધ્યાને આત્મા’ મોક્ષ પર્વતની સર્વ સંપદા ઋદ્ધિને પ્રાપ્ત કરે છે. શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દીવ પ્રભુ સપરાણે (અરનાથ ભગવાનનું સ્તવન) જેમ જેમ ઉપાધ્યાયજી સાહિત્યનું પરિશીલન, અનુપેક્ષા અને તે પ્રમાણેની સાધના કરવામાં આવે છે, તેમ તેમ ધ્યાતા અને ધ્યેય (આત્મા અને પરમાત્મા) વચ્ચેના ભેદનો છેદ થઈ ધ્યાતા ધ્યેય રૂપને અનુભવે છે. - હવે છેલ્લે આ ન્યાયવિશારદ, તર્ક, વ્યાકરણ, કાવ્ય, અલંકાર આદિમાં નિપુણ આ મહાપુરુષના હૃદયમાં વધી રહેલી પ્રભુભક્તિની રસગંગામાં સ્નાન કરીએ. “પિલ પિલે કરી તમને જપું રે, હું ચાતક તમે મેહ;”
આઠમા ભગવાનનું સ્તવન. આ પંક્તિ મહાપુરુષમાં રહેલા પરમાત્મ-પ્રેમની પરાકાષ્ઠા સૂચવે છે.
પ્રભુપદ વળગ્યા તે રહ્યા સાજ, અળગા અંગ ને સાથરે-જેને પરમાત્માનું શરણ લીધું મોક્ષ પર્વતની સંપદા સુખપૂર્વક પ્રાપ્ત કરે છે અને પ્રભુથી જે અળગા રહ્યા - છૂટા પડી ગયા તેનો વિશ્વમાં ક્યાંય પત્તો નથી.
- મનુભવવાણી u se O